SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્ટ ગ્રન્થકાર મહર્ષિ અન્તમાં જણાવે છે કે, ત્રણ ભુવનને વિષય કરનાર મનને એક અણુને વિષે સ્થિર કરીયાનચૈાગી અંતે મન રહિત થાય છે. જેમ સ શરીરને વિષે વ્યાપી રહેલું વિષ મ`ત્ર વડે દુશ' દેશની અંદર લાવી પ્રધાનતર મંત્ર અને ઔષધવડે દૂર કરાય છે. તેમ મનરૂપી વિષને જિનવચન ધ્યાનના ગ્રામથ્યથી પરમાણુ દેશની અંદર લાવી, ચેાગી અચિન્ત્ય પ્રયત્નથી દૂર કરે છે, અથવા ઈન્જન સમુદાયને ક્રમશઃ દૂર કરવાથી, સ્તાક ઇન્જનથી અવશેષ રહેલા અગ્નિ જેમ આપોઆપ બુઝાઇ જાય છે, તેમ વિષય-ઈન્જનથી મન-હુતાશનને ક્રમશઃ દૂર કરી અંતે સર્વથા નાબુદ કરાય છે. અથવા જેમ તપાવેલ લેાઢાના ભાજન ઉપર રહેલું પાણીનું બિન્દુ અનુક્રમે વિલીન થાય છે, તેમ અપ્રમાદરૂપી અગ્નિથી તપ્ત થયેલા જીત્રરૂપી ભાજન ઉપર રહેલુ' મનરૂપી જલ પશુ શાષાઇ જાય છે. અહીં ભવ મરણુ ( વારવાર મરણુ )ના કારણભૂત હોવાથી મનને વિષની ઉપમા આપેલી છે, તથા દુઃખરૂપી દાહના કારણભૂત હાવાથી તેજ મનને ફરીથી અગ્નિની ઉપમા આપેલી છે. ધ્યાન માટે દેશ કાળ અને અધિકારી પરમાપકારી પૂ. ઉપાધ્યાય શ્રી યાવિજયજી મહારાજ અધ્યાત્મસાર નામના ગ્રન્થરત્નના ધ્યાનાધિકારમાં ફરમાવે છે કે
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy