SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ મનની ચાર અવસ્થા સામાન્ય રીતે મનની ચાર અવસ્થા ગણાય છે, અનુક્રમે તેનાં નામો (૧) વિક્ષિપ્ત, (૨) યાતાયાત, (૩) લિષ્ટ અને (૪) સુલીન છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે: કેઈપણ પ્રકારના ચેય વિના જ્યાં ત્યાં પરિભ્રમણ કરતું અસ્થિર મન વિક્ષિપ્ત કહેવાય છે. મનની આ વિક્ષિપ્ત અવસ્થાના કારણે ધ્યાનને જ્યારે પ્રથમ અભ્યાસ કરવામાં આવે છે. ત્યારે મનમાં અનેક પ્રકારના વિક્ષેપ આવ્યા કરે છે. પરંતુ હિંમત રાખીને વચ્ચે આંતરૂં પાડ્યા સિવાય દરરોજ અમુક નિશ્ચિત કરેલા સમયે દિવસના દિવસ સુધી ઉત્સાહભેર આદર અને બહુમાનપૂર્વક અભ્યાસ ચાલુ રાખવાથી અંતે મનનું વિક્ષિપ્ત પણું ચાલ્યું જાય છે. આ જાતના નિયમિત અભ્યાસ દ્વારા જ દરેક સાધક પિતાના મનને ઉચ્ચ દશામાં લાવવા સમર્થ બને છે. વિક્ષિપ્ત દશા ઓળંગ્યા પછી મનની બીજી દિશા યાતાયાત” નામની આવે છે. યાતાયાત એટલે જવું અને આવવું. આ અવસ્થામાં ક્ષણ વાર મન ધ્યેયગત વિષયમાં સ્થિર રહે છે અને વળી પાછું ક્ષણ વાર પછી વિકલવાળું બને છે. પ્રથમની વિક્ષિપ્ત દશા કરતાં મનની આ યાતાયાત અવસ્થા સારી છે. કારણ કે આ અવસ્થામાં જેટલી વાર અને જેટલે સમય મન દયગત વિષયમાં સ્થિર થયું
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy