SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ હેતુથી કરવામાં આવતું અનુષ્ઠાન શ્રી અરિહંત ભગવંતેને અર્પણ થાય છે. આ નિષ્કામભાવને જ અન્ય દર્શનના મતે ઈશ્વરા૫ણબુદ્ધિ કહેવાય છે. પ્રત્યેક અનુષ્ઠાન વખતે જે ચિત્તરત્નમાં શ્રી તીર્થકર ભગવંતેનું અધિષ્ઠાન થાય છે, તે સર્વત્ર માધ્યસ્થની સિદ્ધિ સુલભ બને છે. શ્રી જિનપ્રવચનમાં જીવાદિ નવ ત, અનિત્યાદિ બાર ભાવનાઓ, સર્વ પ્રકારના ધર્મો અને નિયમે, સર્વ શાસ્ત્રો અને સર્વ સકિયાઓ વગેરેનું લક્ષ્ય જીવને મધ્યરાગ-દ્વેષરહિત બનાવવા માટે છે. શ્રી વીતરાગ ભગવંતની મુદ્રા પણ મધ્યસ્થ ભાવની દ્યોતક છે. ઉલ્લંગમાં રામા નથી અથતુ હૃદયમાં શગ નથી અને હાથમાં શસ્ત્ર નથી અર્થાત્ હદયમાં દ્વેષ નથી, એ જ વસ્તુ માથથ્યની દ્યોતક છે. શ્રી નમસ્કાર મહામંત્ર પણ માધ્યશ્યમય છે. તેમાં શ્રી પંચપરમેષિએનું મરણ છે, કેમ કે તેઓ પૂજય છે. પૂજ્યતા મધ્યસ્થભાવ વિના આવતી નથી. આ રીતે મધ્યસ્થ ભાવના પણ નવકારને સાર છે, તેથી તે પરંપરાએ ચૌદ પૂર્વને પણ સાર બને છે. અહિંસા, સત્ય, અચૌર્ય વગેરે ધર્મો પણ મધ્યસ્થતાના વિવિધ પ્રકારે છે. હિંસામાં સ્વાર્થ અને વિર હોય છે. સ્વાર્થ એ રાગ અને વર એ દ્વેષ છે. અહિંસામાં તે બનેને અભાવ છે. જે રાગ અને દ્વેષ હેય, તે જ અસત્ય બોલાય છે. સત્ય વચન વખતે તે બન્નેને અભાવ છે. માધ્યશ્ય વિના શ્રેષ્ઠ જીવન સંભવતું નથી. જ્યાં જ્યાં
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy