SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ૌભાગ્ય, દૌર્મનસ્ય, અને મરણાદિથી ઉત્પન્ન થયેલ દુઃખથી હણાયેલ જન્ને આ સંસારરૂપી ગહન વનમાં કઈ શરણ નથી. આમ વિચાર કરવાથી પિોતે અશરણ છે એવું ભાન થાય છે. સાંસારિક પદાર્થોમાં નિરંતર વિરક્તિ અને અનાસતિ પ્રગટે છે. અરિહંતનાં શાસનમાં બતાવેલ ધર્માનુષ્ઠાન પ્રત્યે અતિ આદર પ્રગટે છે. શરણ રહિત એવા આ સંસારમાં અરિહંતને ધર્મ જ એક શરણ છે. આશ્રય આપનાર છે, સંસારનાં સઘળાં દુઃખથી સર્વથા છોડાવનાર છે અને કાયમ માટે મુક્તિનાં સુખ આપનાર છે. એથી જ કહ્યું છે કે ઉત્પત્તિરૂપ જન્મ, વચહાનિરૂપ જા, પ્રાણત્યાગરૂપ મરણ, એને ભયથી પરાભૂત થયેલ, જવર, અતિસાર અને હૃદયને રોગ આદિ વ્યાધિ તથા બીજી પણ શારીરિક માનસિક વેદનાઓ વડે અભિગ્રહિત એવા જનસમૂહને તીર્થ કરોએ પ્રતિપાદન કરેલ અને તેના આધારે શ્રી ગણધર દેએ રચેલ દ્વાદશાંગ પ્રવચન અને તેમાં કહેલ ધર્મ સિવાય અન્ય કઈ શરણ નથી, પણ એક ધર્મ જ શરણભૂત છે. ત્રીજી સંસાર ભાવના, અનાદિ સંસારમાં એટલે નરક-તિર્યંચની નિમાં તથા મનુષ્ય અને દેવનાં ભવમાં ચક્રની જેમ પરિભ્રમણ કરતાં પ્રાણીને સર્વ જતુઓ સ્વજને પણ થયેલા છે અને
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy