SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ (૨) શ્રી સિદ્ધપદ-શ્રી નવ પદમાં બીજું પદ શ્રી સિદ્ધપદ છે. સિદ્ધ પરમાત્મા અનંત ગુણેના ધામ છે. તેઓને મુખ્ય ગુણ અવિનાશીપણું છે. કારણના આસેવન વિના કાર્યસિદ્ધિ થતી નથી, એ દૃષ્ટિએ સિદ્ધ પરમાત્માઓએ આ અવિનાશીપણું પ્રાપ્ત કર્યું છે તે કોઈ આકરિમક ઘટના નથી, પણ શ્રી જિનેશ્વર ભગવાનના સનાતન માગને અનુસરી, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું યથાર્થ આરાધન કરી, આત્માની અનંત શક્તિ -અનંત સુખ-સમૃદ્ધિને આવનારા સકલ કર્મબંધનોને તેડી નાખી શિવસંપદાને વર્યા છે. આ રીતે આત્માની સહજાવસ્થારૂપ પરમ પદની પ્રાપ્તિ થવાથી, હવે તેઓને જન્મ–જરા-મરણાદિ કોઈ પણ પ્રકારનું દુઃખ રહ્યું નથી અને કદી પણ નાશ ન પામે તેવું અનુપમ તથા સંપૂર્ણ સુખ તેઓમાં પ્રગટ થયું હોય છે. આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જીવ પોતાના સ્વરૂપને કદી પણ છોડતો નથી, માટે જ સિદ્ધપદ અવિનાશી કહેવાય છે. શ્રી સિદ્ધ પરમાત્માના આ અવિનાશીપણાને ગુણ સમગ્ર મુમુક્ષુ આત્માઓનું લક્ષ્યબિન્દુ છે. શ્રી અરિહંત પરમાત્માઓ પણ દીક્ષા અંગીકાર કરતી વખતે સિદ્ધપદને નમસ્કાર કરે છે અને જગતને સિદ્ધપદના માગે દોરે છે. માટે જ અનુપમ ઉપકારી તરીકે તેઓની ગણતરી થાય છે. જગતના તમામ પદાર્થો ઉપર કાળની અસર છે, પરંતુ આ એક જ પદ એવું છે કે જેના ઉપર કાળની પણ અસર નથી. શ્રી સિદ્ધ પરમાત્માઓના અવિનાશી સ્વરૂપને વિચાર જીવને સિદ્ધ બનાવી અચિંત્ય પ્રેરણા આપે છે, હિંમત
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy