SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ આહારત્યાગરૂપ ઉપવાસની સાથે જેમાં મૌન, ધ્યાન અને એક સ્થાને સ્થિર થવાની ક્રિયા થાય છે, તે કાત્સગને અભ્યાસ પાડવામાં આવે તે તપને હેતુ જે કમક્ષય છે, તે અવશ્ય સિદ્ધ થાય છે. કાર્યોત્સર્ગમાં કમને આવવાના દ્વાર મન, વચન અને કાયા, તેને નિરોધ થાય છે અને કર્મક્ષયનાં કારણ ઇન્દ્રિયજય, મને નિગ્રહ, અને વાસનાક્ષયનું સેવન થવાની સાથે પ્રાણસિદ્ધિ કે જેનું બીજું નામ વિલાસની વૃદ્ધિ છે, તેને પણ લાભ મળે છે. સ્થાન, મન અને ધ્યાન વડે થતે કાયાને ઉત્સર્ગ અનુક્રમે દેહ, વાણી અને મન ઉપર પ્રભુત્વ અપાવે છે. દેહ, વાણી અને મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત થવાથી પ્રાણશક્તિઓને સંચય થાય છે. પ્રાણશક્તિઓના આ સંચયનું બીજું નામ સંયમ છે. એ સંયમ સર્વ પ્રકારની સિદ્ધિઓનું બીજ . ગદર્શનમાં ધ્યાન, ધારણ અને સમાધિ એક જ વિષય ઉપર થાય છે, ત્યારે તેને સંયમ કહેવામાં આવે છે. કાયોત્સર્ગ વડે થતે સંયમ એ યોગદર્શનમાન્ય સંયમથી પણ અધિક છે. કાર્યોત્સર્ગમાં ધ્યાન, ધારણા, સમાધિ ઉપરાંત કાયાનું સ્થN, વાણીનું મૌન પણ અભિપ્રેત છે. જે કે ચગદર્શન પણ ધારણા, ધ્યાન, સમાધિરૂપ સંયમના અધિકારી તેમને જ ગણે છે, કે જેમણે યોગના પ્રથમ અંગે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આદિને સિદ્ધ કરેલાં હોય, તે પણ તેમાં અનેક
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy