SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં સ્થિરતા થવી સહજ છે. તેનું જયારે દ્રવિત થાય છે અર્થાત્ પીગળે છે, ત્યારે જ તેને ઘાટ ઘડી શકાય છે, તેમ ચિત્તમાં જ્યારે પ્રસન્નતા-સિનગ્ધતા પ્રગટે છે, ત્યારપછી જ તેમાં સ્થિરતાને ઘાટ ઘડી શકાય. અને જ્યાં સ્થિરતા હોય ત્યાં એકાગ્રતા પણ સરળતાથી પ્રગટે છે. અને જ્યાં એકાગ્રતા હોય ત્યાં તન્મયતા પ્રગટ થવી સહજ છે. અને એ તમયતા અંતે લયમાં પરિણમે છે. આ લય અવસ્થા પ્રાપ્ત થયા પછી જ લકત્તર પરમ તની સાચી ઓળખાણ થઈ શકે છે. પરમાત્વતવ આદિ કેટલાંક ત મનને અગોચર હેય છે, તેથી તેવાં તો માત્ર મનથી જાણી શકાતાં નથી પરંતુ પરમત પ્રત્યેની ધારણાદિના અભ્યાસના બળથી મન જ્યારે પ્રશાંત બને છે. અર્થાત મન લય પામે છે ત્યારપછી જ આત્માને અગમ્ય તાવની પ્રતીતિ થવા લાગે છે. આ તત્તવ પ્રતીતિ થવી એ જ મનુષ્યજન્મ પામ્યાનું સાચું અને પ્રધાન ફળ છે. તે તપ્રતીતિ કરોડો કલ્યાણને ઉત્પન્ન કરે છે. આનું પણ મુખ્ય કારણ ચિત્તની પ્રસન્નતા છે. એટલા માટે ચિત્તની પ્રસન્નતાને આત્માનું અંતરંગ ધન અને મોક્ષનો સાક્ષાત્ માર્ગ પણ કહેલ છે. ફલેશરહિત સુપ્રસન્ન મન એજ મોક્ષ છે એમ પણ કહેવામાં આવ્યું છે * चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते । * માધેasawાનનમ્ | * ફલેશ રહિત મન તે ભવપાર
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy