SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ સ્વરૂપમાં સમજી શકતા નથી. યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિમધક જેમ મતિમાંદ્ય, બુદ્ધિૌ લ્ય અને જ્ઞાનાવરણીય ક્રમના ઉદય છે, તેમ અહં'માનિત્વ, પૂર્વાંગ્રહગ્રહિતા, ધૂતયુદ્ધાહિતતાદિ પણ મુખ્ય છે. દુરભિનિવેશને આધીન થયેલ બુદ્ધિમાન પુરુષ પણ અવસરે વસ્તુને તેના યથા સ્વરૂપે ઓળખી શકતા નથી. એ અસગ્રહ પ્રત્યેક જીવને અજ્ઞાનદશામાં કે મિથ્યાજ્ઞાનવાળી દશામાં અતિ ભારે હોય છે, તેની ઉપર જ્યાં સુધી સર્વથા વિજય મેળવવામાં ન આવે ત્યાં સુધી, ભવને અને માક્ષને તેના યથાર્થ સ્વરૂપમાં પીછાણુવા અતિ દુષ્કર છે. એ કારણે વીતરાગ ભગવંત પાસે બીજી માગણી ‘માર્ગાનુસારિતા' એટલે તત્ત્વાનુસારિતાની-કરવામાં આવે છે. (૩) ઇષ્ટફલસિદ્ધિ, ઇષ્ટસિદ્ધિ એટલે અભિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ. આલા ક્રમાં જે પદાર્થો ચિત્ત સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે, તેવા અન્ન, વસ્ત્ર, આરાગ્ય, આજીવિકા અને કુટુબાદિ પદાર્થા સાનુકૂળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્થિર ચિત્તે તત્ત્વવિચારણા થવી શકય નથી. એ કારણે એ તત્ત્વાનુસારિ તાને સહાયક એવી ચિત્તસ્વસ્થતાને મેળવી આપનાર ઇહુ. લૌકિક અભિમત ( પ્રશસ્ત અકામાદિ) પદાથૅર્થીની નિષ્પ ત્તિને પણ ઇચ્છવામાં આવી છે. ભવિનવે દાદિકને સહાયક જેટલી ઐહિક ચીજો છે, તેને ઇચ્છવામાં પશુ ગર્ભિત રીતે ભનિવેદ્ઘ જ મગાય છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy