SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ૧૬ તવનિષ્ઠ-એટલે જે વસ્તુનું પ્રતિપાદન કરવું હેય તેના સ્વરૂપને અનુસરનારી વાણી હોય છે, પણ નહિં કે વસ્તુનું સ્વરૂપ અમુક હય, ને પ્રતિપાદન કંઈક જુદું જ કરાતું હોય ૧૭ અપ્રકીર્ણ પ્રયુત-હોય છે, અર્થાત્ સુસંબદ્ધ પદાર્થને કહેનારી હોય છે, એમાં સંબંધ વિનાના પદાર્થોને અધિકાર ચાલતું નથી, તેમ વર્ણનને અતિ વિસ્તાર એટલે કે ખોટું લંબાવવાનું પણ હોતુ નથી. ૧૮ સ્વલાઘા-પરનિન્દારાહત-પ્રભુની વાણું સ્વલાઘા અને પરનિંદાથી રહિત હોય છે, ક્યાંય પ્રભુ પિતાની પ્રશંસા કરનારું વચન નથી બોલતા, તેમ જ સામે બેઠેલા શ્રોતાના ગુપ્તમાં ગુપ્ત દોષને પ્રભુ રજે રજ જાણવા છતાં કે ઈનીય નિન્દાને એક પણ અક્ષર પ્રભુ નથી ઉચ્ચારતા. ૧૯ અભિજાત્ય-પ્રભુની વાણી અભિજાત્ય એટલે ઉત્તમ કેટિની અર્થાત વક્તાની પિતાની અને વિવેચવાના વિવેચનની ભૂમિકાને અનુસારે વાણી હોય છે. પોતે જગદીશ પરમાત્મા છે, તે ભૂમિકા બહુ ઊંચી તેથી વાણ પણ તેવી ઊંચી બોલાય છે. ૨૦ સ્નિગ્ધામધુર એટલે કે સાકર, શેરડી તે શું પણ દિવ્ય અમૃત કરતાંય અતિશય ચઢી જાય એવી સિનગ્ધતા અને માધુર્યવાળી વાણી હોય છે. એવી એ મધુર વાણી સતત દિવસેના દિવસે સાંભળતાં ય થાક, કંટાળો, નિદ્રા, ભૂખ,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy