SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ રતે ચાલતાં સાર્થવાહ અને તેમની સાથેના માણસો માર્ગને બને તેટલે સુધારતા જાય છે. વચમાં આવતી શિલાઓ વિગેરેમાં માના ગુણ અને દોષ જણાવનારા અક્ષરો પણ લખે છે, એ અક્ષરો ઉપથી આટલું ચાલ્યા અને આટલું ચાલવાનું બાકી રહ્યું, એની પાછળવાળાઓને ખબર પડે છે, સાર્થવાહની આજ્ઞા મુજબ સાથે ચાલનારા જેમ શીધ્ર ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે, તેમ પાછળ રહેલા પણ જેઓ સાર્થવાહના લખ્યા મુજબના માર્ગે ચાલે છે. તેઓ પણ ઈસિતપુર પહોંચી જાય છે. જેઓ એ રીતિએ ચાલ્યા પણ નહિ અને ચાલતાં પણ નથી, પરંતુ રસ્તામાં મનહર વૃક્ષની છાયાદિમાં વિશ્રાંતિ લેવા ઉભા રહે છે, તેઓ ઈચ્છિત નગરે પહોંચ્યા પણ નથી અને પહોંચવાના પણ નથી આ દૃષ્ટાંતરો ઉપનય એ છે કે– સાર્થવાહની જગ્યાએ શ્રી અરિહંત પરમાત્માને સમજવા, ઉદ્દઘોષણા એ તેમની ધર્મદેશના છે. મુસાફરના સ્થાને સંસારવત જીવે છે. અટવી એ સંસાર છે. સરળમાર્ગ એ સર્વવિરતિ સાધુમાગે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy