SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અલ્પ જ્ઞાન પણ ક્રિયા સહિત હોય તો જ આરાધ્ય ગોઠવવામાં પહેલું સ્થાન આચારાંગને આપ્યું. બીજા કશાને પહેલું સ્થાન આપ્યું નહિ. જગતમાં વૈદ્ય અને ડૉકટરે જગ જગ પર હોય, પણ દવા લેવાની ન હોય તો રોગનું શું થાય? દવા ન હેય, તો શું થાય ? વૈદ્ય, ડૉકટરને ઉપયોગ દવાના ઉપયોગને અંગે છે. વૈદ્યને નાડ બતાવ્યા કરે, દવા લે નહિ તો શું થાય ? દવા વિના મોટો ધનંતરી રોગ મટાડી શકતો નથી. કદઈની દુકાન પર દષ્ટિ કરવાથી પેટ ભરાતું નથી. કોઈની દુકાનમાં મણ બંધ પકવાન છે. જોઈ લે ખુશીથી, સુધા અગ્નિ બુઝાય નહિ. કદઇની દુકાન પર રહેલાં પકવાને મણ બંધ જુએ તેથી ભૂખ ન મટે પણ મીઠાઈ લઈને ખાય તે ભૂખ મટે. ક્રિયા વગરનું અવધિજ્ઞાન સુધીનું જ્ઞાન થઇ જાય તો! કંદોઈની દુકાન દેખવાની. ખાવાની ક્રિયા કર્યા વિના કંદોઈની દુકાન ઉપરની મીઠ ઈનું જ્ઞાન કેવળ ટાઈમ ગાળવા જેવું છે. કદની દુકાન પર જેને લેવું હોય તે ચઢે છે. તેમ જૈન શાસનની અપેક્ષાએ અલ્પ જ્ઞાન હોય પણ તે ક્રિયા સહિત હેય તે આરાધ, ક્રિયા વિનાનું અવધિજ્ઞાન હોય તે તે આરાધ્ય નથી. અમલમાં નહિ મૂકનારે અવધિજ્ઞાની પણ પરમેષ્ઠીમાં નહિ માત્ર અષ્ટ પ્રવચનમાતાના નામ જાણનારે, અષ્ટ પ્રવચનમાતા પાળતો હોય તે પરમેષ્ઠી–સાધુપણાનું પાંચમું પરમેષ્ઠી-પક, અષ્ટ પ્રવચનમાતાનું નામ જાણે છે ને આદરે છે તેથી તે પરમેષ્ઠીના સ્થાને પણ જો અમલમાં નહિ મેલના અવધિજ્ઞાની હોય તો તે પરમેષ્ઠીમાં નહિ. પાંચે પરમેષ્ઠીમાં એકલા જ્ઞાનવાળા કેઈ નહિ, ક્રિયાશકઈ નહિ. અહીં જ્ઞાનની સાથે દુશ્મનાવટ નથી. જે માર્ગ ને અનુસરવાવાળા હાઈ ક્રિયા કરે છે, તે ક્રિયા કરવાવાળા જ્ઞાનના હેપી નથી. નાનની રુચિવાળા છે. શુષ્ક જ્ઞાનવાળા તે ક્રિયાના દેવી છે, અરુચિવાળા છે. ક્રિયાવાળાની જ્ઞાનવાળાઓ નિંદા કરે પણ કિયાવાળાએ જ્ઞાનીની નિંદા ન કરે. અમે જ્ઞાનની અરુચિવાળા નથી. •
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy