SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત ઓળખાવે છે. એ નિર્ગખ્યશિરોમણિને અગિયાર બ્રાહાણ શિષ્ય હતા. એ દરેક શિષ્યરત્ન ગણધર કહેવાય છે. એ પ્રત્યેક મનીષી મુનિયે ન શાસ્ત્રોનાં મૂળરૂપ બાર અંગે અદ્ધમાગણી (સં. અર્ધમાગધી) ભાષામાં રહ્યાં છે, અને એમાંથી કેવળ પાંચમા ગણધરની જ રચના એ છેવત્તે અંશે આજે મળે છે એમ મનાય છે. આ પાંચમા ગણધરનું નામ સુધર્મન્ છે. એમને આ પુસ્તકમાં સુધર્માસ્વામી તરીકે નિર્દેશ છે. આ પુસ્તકમાં અનેક સ્થળે (દા. ત. પૃ ૨૨૬માં) એમણે દ્વાદશાંગી શા માટે રચી છે તે બાબત વિચારાઈ છે, અને તેમ કરતી વેળા નીચે મુજબનાં ત્રણ કારણે રજૂ કરાયાં છે – (૧) ભવ્ય જીના ઉપકારને માટે. (૨) શાસનની પ્રવૃત્તિને માટે. (૩) મોક્ષને માર્ગ દુનિયા સાધી શકે તે માટે. ખરી રીતે બે જ કારણ છે, કેમકે પહેલા અને ત્રીજા કારણમાં કંઈ ખાસ ભેદ નથી. જૈન આગમાં બાર અંગરૂપ ગણિપિટક- દ્વાદશાંગી અગ્ર સ્થાન ભેગવે છે. એના પ્રણેતા ગણધર હવા વિષે બે મન નથી. આ બાર અંગમાંનું ત્રીજું અંગ તે ઠાણ (સં. સ્થાન) છે. એને સંસ્કૃતમાં સ્થાનાંગ, પાઈયમાં કાણુગ અને ગુજરાતીમાં ઠાણાંગ” કહે છે. આ એક સુયખંધ (શ્રુતસ્કંધ)રૂપ આગમન ઘણે ખરો ભાગ ગદ્યમાં છે. એના એકંદર દસ વિભાગે છે. એ દરેકને “અઝયણ” (સં. અધ્યયન) તેમજ કાણું (સં. સ્થાન) પણ કહે છે. આ પૈકી કેટલાંકના પિટાવિભાગ છે. એને “ઉસગ (સં. ઉદેશક) કહે છે. ગુજરાતીમાં એને “ઉ” કહેવામાં આવે છે. પ્રસ્તુત વ્યાખ્યાનને સંબંધ પાંચમા અજઝયણ સાથે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy