SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જપામાં પાંચ અક્ષર અને યુકપમાં અક્ષર સખ્યા બદલાતી જતાં નવા પ્રકારના છંદનું સર્જન થાય છે. જેમકે રૂઢા (૩, ૨૬) રિસ્ટ ફુરી (ઓજમાં એક સ ગણુ લઘુ અને ગુરુ તથા યુકપદમાં ત્રણ સ ગણુ અને લઘુગુરુ એમ *ર=૧૧ અક્ષર) તે જ પ્રમાણે મૃગાંકમુખી છંદ બનશે. મોટા કદના અર્ધસમપદ છંદમાં શિખાછંદ છે. એ જ પદમાં નવ વખત ન ગણુની પુનરાવૃત્તિ તથા લઘુ ગુરુ એમ ૨૯ અક્ષર તથા યુકપદમાં દસ વખત ન ગણ અને ગુરુ એટલે કે ૩૨ અક્ષરનું એક પદ બનશે. આમ ખંજા છંદ થશે. કેઈપણ સિદ્ધહસ્ત કવિની કટી સમાન આ છંદમાં ૩૦ લઘુ અક્ષર અને એક ગુરુ અક્ષર તથા ચુકાદામાં ૨૮ લઘુવર્ણ અને એક ગુરુવર્ણને ઉપયોગ કરીને કવિતા કરવી અશકય તે નહી પણ કઠીનતમ કાર્ય તે ખરૂં જ, આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય પ્રમુરિત સમ નવમધુસમગ્ર નામનું સરસ વસત વર્ણનનું ઉદાહરણ આપે છે. શકય છે કે આ રચના આચાર્યશ્રીની જ હોવી જોઈએ. આ ઉપરાંત તેમાં થોડાક ફેરફાર સાથે શિખા છંદના રચિરા અને ચૂલિકા છંદ બનાવવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્ય પંજાશબ્દને છંદ શાસ્ત્રમાં સ્વીકારતા નથી. તેથી તેને શિખા અંતરગત છે એમ કહે છે. ત્રીજા અધ્યાયને બીજો ભાગ વિષમવૃત્તને છે. અનુષ્ટ્રપ તેનું પ્રતીક છે. જેની ચર્ચા અગાઉ થઈ ગઈ છે. અનુષ્ણુપમાં થોડાક ફેરફાર સાથે વકત્ર છંદ બનશે. તેના પ્રથમ પાદના બે વિકલ્પ, અને તે પ્રમાણે વિકની ગણતરી અને ગોઠવણીથી ૨૪ ભેદ બને છે અને તેના અનેકવિધ સમીકરણ અને ગુણાકારથી ૩ લાખ જેટલા ભેદ શકય બને છે. આ સંખ્યાને વિપુલા છંદના ભેદ કહે છે. તેમાંથી પ૧માં (૩. ૩૪) પછી (૩.૩૬), અહીં સૈતવ નામના અજ્ઞાત છંદ શાસ્ત્રકારને મત આચાર્યશ્રી આપે છે. વકત્ર પ્રકારના અનેક ભેદની સીમીત વ્યાખ્યામાં ગણતરી કરે છે. અતિવિપુલા, ભવિપુલા, રવિલા ઈત્યાદિ નામથી પ્રચલીત છે. એમ પ્રથમ આઠ અક્ષર અને ક્રમશ: ચાર ચાર અક્ષર પ્રત્યેક પાદમાં ઉમેરાતા જઈએ અને ત્યાર પછી
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy