SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ નિશાની (-) પામે છે. અનુરવાર, વિસર્ગ અથવા તે કેઈક વાર હૃસ્વ રવર થડકાર સજે છે. માટે તે દીર્ઘત્વ લાવે છે. આ સમજુતિ સ્પષ્ટ ન હોય તે છંદમાં રહેલા લઘુ-ગુરુ ઉચ્ચારણ બરોબર થશે નહીં, માપ સચવાશે નહી, તાલ રહેશે નહીં પરિણામે છંદના લયનાં અને રહસ્યની અનુભૂતિ થશે નહીં. લય વગરના પદ્ય કરતાં તે ગદ્ય વધારે સારું કહી શકાય.” (પૂજાલાલ) છંદશાસ્ત્રની આ પૂર્વભૂમિકા પછી વારંવાર વ્યવહારમાં આવતા કેટલાક શબ્દો પરિભાષાને ઓળખવા જરૂરી છે. કારણકે તેને ઉપયોગ અને પ્રાગ અનેકવાર થવાનું છે. માત્રાઃ આ લઘુના ઉચ્ચારણને અગાઉ જણાવ્યું તે મુજબ સમયાવધિનાં એક એકમને માત્રા કહેવાય છે. ગુરુને વધારે સમય અથવા બેવડો સમય લાગતું હોવાથી બે માત્રા આપવામાં આવે છે. તે મુજબ હુત સ્વરને ત્રણ માત્રા આપવી જોઈએ. પણ છંદશાસ્ત્ર તેને બે માત્રામાં સમાવી લે છે. કવિતાના પઠનમાં લઘુને લઘુ તરીકે અને દીર્ઘને દીર્થ તરીકે જ ઉચ્ચારીત કરવા જોઈએ. આમ ન થાય તે છંદભંગની અવ્યવસ્થા સર્જાય છે, સામાન્ય રીતે ગુજરાતી પ્રજા અકારાંત શબ્દના છેલ્લા રવરને બોલતી નથી. કેટલીકવાર તે મધ્યમ સ્વરને પણ બરાબર બોલતા નથી તે કદાચ વ્યવહારમાં ચલાવી લેવાય પણ કાવ્યપઠનમાં તે તે મેટી ક્ષતિ જ કહેવાય. જેમકે અમદાવાદને બદલે અમદાવાદ, ગોવિંદ–ગોવિંદ એમ બેલાતું આપણે ઘણી વાર સાંભળીએ છીયે. પદ્યમાં બધાજ અક્ષરો પૂર્ણ રીતે ઉચ્ચારીત થાય તે જરૂરી છે. " કવિતા એ શ્રવણનો વિષય છે માટે ઉચ્ચારણની સ્પષ્ટતાની સમજ હોવી જરૂરી છે. કાવ્યની પરિભાષામાં લઘુ અને ગુરુ માટેની સંજ્ઞા ૮ – બને છે. જે લ અને ગ તરીકે પણ ઓળખાય છે. પરિણામે માત્રાની સમજ સ્પષ્ટ બનશે. લ ને માટે એક અને ગા ને માટે બે. બીજગણિતની ભાષામાં કહીએ તે, ત્રણ લઘુ માટે જજ અથવા
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy