SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ વક્રોક્તિજીવિત [૧-૩૨, ૩૩ વણવિન્યાસની અને વિચિછનિયુક્ત પદની જનાની સ્વ૫ સંપત્તિથી ઉત્પન્ન થતુ બંધનું સૌન્દ્રય તે લાવણ્ય કહેવાય. સંપત્તિને અર્થ પણ શોભા જ થાય છે. એ શોભા કેવી? તે કે બંને પ્રકારની એટલે કે વર્ણવિન્યાસની અને પદજનાની શેભા. એ સ્વલ્પ એટલે થેડી જ, અત્યંત આગ્રહપૂર્વક રચેલી નહિ. એને અર્થ એ થયો કે શબ્દ અને અર્થના સૌકુમાર્યથી સુંદર રચનાનું સૌષ્ઠવ તે લાવણ્ય નામને ગુણ કહેવાય. જેમ કે– સ્નાનને લીધે ભીના થયેલા, છૂટા, ધૂપની વાસવાળા અને સંધ્યા સમયે મલ્લિકાનાં પુષ્પો ગૂંથેલા સ્ત્રીઓના વાળમાં, વસંત પૂરી થવાથી જેનું જોર ઓછું થઈ ગયું છે એવા કામદેવને બળ મળ્યું.” (રઘુ. ૧૬-૫૦) ૮૫ આ કનું રચનાસૌંદર્ય સહદને અનુભવમાત્ર ગમ્ય છે, શબ્દથી કહી શકાય એવું નથી. બીજું ઉદાહરણ– તેણે પિતાનાં બાણથી અસુર સ્ત્રીઓના ગાલ પત્રલેખા વગરના કરી નાખ્યા.” (રઘુ. ૬-૭૨) ૮૬ આ ઉદાહરણમાં પણ વર્ણવિન્યાસની વિચ્છિત્તિ અને પદજનાની સંપત્તિ રચનાના સૌંદર્યનું કારણ છે, એ સ્પષ્ટ જોઈ શકાય એમ છે. આમ, લાવણ્ય સમજાવ્યા પછી આભિજાત્ય સમજાવે છે– ૩૩. સાંભળવામાં કમળ, ચિત્ત જેને સહેલાઈથી ૫શી શકે એવે, સ્વભાવથી જ કોમળ છાયાવાળે ગુણ તે આભિજાત્ય કહેવાય. આવી વસ્તુને આભિજાત્ય કહે છે. કાનને કેમળ લાગે એટલે કે રમણીય લાગે એ. મન જેને સહેલાઈથી પશી શકે
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy