SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ વક્રોક્તિજીવિત [૧-૩૦, ૩૧ છેલા વાકયને અર્થ એ કે કાવ્યમાં વિષય કહેતાં content અને વિષયી કહેતાં form બંને સુંદર લેવાં જોઈએ. બંને વચ્ચે સામંજસ્ય. હેવું જોઈએ. આમ, સુકુમાર માર્ગની વ્યાખ્યા આપ્યા પછી ગ્રંથકાર એન. ગુણેનું સ્વરૂપ સમજાવે છે. ૩૦ સમાસ વગરનાં મનહર પદેને વિન્યાસ એ જ જેનું જીવિત છે એવું માધુર્ય એ સુકુમાર માગને પહેલો ગુણ છે. મનહર એટલે સાંભળવામાં રમણીય અને અર્થની દષ્ટિએ પણ રમણીય એવાં પદો. “સમાસ વગરનારને અર્થ “જેમાં વધુ પડતા સમાસ ન હોય એવાં કરવાનું છે, જેમાં બિલકુલ સમાસ હેય જ નહિ એવાં એ અર્થ લેવાનું નથી. જેમ કે – એકાંતમાં કીડાની મસ્તીમાં હસતાં હસતાં શિવના માથા પરથી ચંદ્રલેખાને ખેંચી લઈ પિતાને માથે ધારણ કરી “મને એ સારી લાગે છે?’ એમ પાર્વતીએ પૂછતાં, ચંદ્રમૌલિ શિવે આપેલે પરિચુંબન રૂપ ઉત્તર તમારું રક્ષણ કરે.” ૮૧ અહીં પદો સમાસ વગરનાં છે, શબ્દ અને અર્થ રમણીય. છે, અને વિન્યાસનું વૈચિત્ર્ય છે. આમ અહીં ત્રણે વાનાં પ્રકાશે છે. આમ, માધુર્યની વાત કર્યા પછી પ્રસાદની વાત કરે છે– ૩૧ જેને લીધે કવિને રસ અને કોક્તિવિષયક અભિમાય વગર મહેનતે સમજાઈ જાય અને અને એકદમ બંધ થાય તે પ્રસાદ, રસ અને વક્રોક્તિ એટલે શૃંગારાદિ રસ અને બધા જ અલંકારે. આ પ્રસાદ ગુણમાં મુખ્યત્વે ચાર વસ્તુ હોય છે(૧)
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy