SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વક્રોક્તિજીવિત [૧-૧૯ અહીં કવિએ તાત્તિ “ત્તિ વગેરે ક્રિયાપદ નથી વાપર્યા, કારણ, એ વણે કઈક અપૂર્વ સૌંદર્ય પૂર્વક કોઈ અનિર્વચનીય અર્થ સૂચવે છે, એવું કવિને કહેવું છે. અત્યાર સુધીમાં વક્રતાના પહેલા બે પ્રકારે (૧) વર્ણવિન્યાસક્રતા અને (૨) પદપૂર્વાર્ધવક્રતાનું નિરૂપણ થયું. તેમાં પદપૂર્વાર્ધવક્રતાના આઠ પેટા ભેદે ગણાવ્યા. તે આ પ્રમાણેઃ (૧) રૂઢિવચિય. એના પણ બે ઉપભેદે (ક) જેમાં ધર્મની અતિશયતા સૂચવાતી હોય અને (ખ) જેમાં ધમની અતિશયતા સૂચવાતી હેય. (૨) પર્યાયવૈચિત્ર્ય, (૩) ઉપચારચિત્ર્ય, (૪) વિશેષણચિય, (૫) સંવૃતિવતા, (૬) વૃત્તિવૈચિત્ર્ય, (૭) લિંગવિચિય અને (૮) ક્રિયાચિય. હવે વક્રતાના ત્રીજા ભેદ પ્રત્યયવક્તાનું નિરૂપણ કરે છે. (૩) વક્રતાને ત્રીજો પણ એક પ્રકાર છે અને તે પ્રત્યયાશ્રય. પ્રત્યય એટલે નામને અને ધાતુને લાગતા પ્રત્યે એને આધારે રહેલી વકતા તે પ્રત્યયાશ્રયવકતા. એના પણ ઘણા પ્રકારે સંભવે છેઃ (૧) સંખ્યાચિગ્યથી થતે, (૨) કારકચિત્ર્યથી થત અને (૩) પુરુષવૈચિત્ર્યથી થતું. (૧) સંખ્યાવૈચિત્ર્યથી તે પ્રકારઃ એમાં કાવ્યની શોભા સાધવા માટે સંખ્યા કહેતાં વચનનું વૈચિગ્ય જવામાં આવે છે. મૈથિલી તેની દારા છે.” ૬૩ આમાં મૈથિલી એકવચન છે અને ધારા” એ બહુવચન છે. એટલે એ પ્રવક્તામાં વચનવક્રતાનું ઉદાહરણ થયું. આ જ ઉદાહરણ પહેલાં લિંગવક્રતામાં આપવામાં આવ્યું હતું. કારણ, મૈથિલી સ્ત્રીલિંગ છે અને તાઃ પુંલિંગ છે. આમ, આમાં વચનવતા અને લિંગવક્રતા બંનેને ઉદાહરણ આવી જાય છે. બીજું ઉદાહરણ આંખે ખીલેલાં કમલેનાં વન અને બે હાથે સરે જેના ભંડાર છે.” ૬૪
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy