SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ વાક્તિજીવિત [૧-૧૯ (ચ) વૃત્તિવૈચિત્ર્યવકતા નામે પદ્મપૂર્વાવક્રતાના આ એક છઠ્ઠો પ્રકાર છે. એમાં (સમાસ, તદ્ધિત અને સુપ્ પ્રત્યયાની તથા બીજી) અનેક રચનાઓમાંથી કોઇ અમુક જ સુંદર રચનાને કિવ પસંદ કરે છે. જેમ કે અંકુરા વચ્ચે પલ્લવા.” પર અહી. અંકુરાળાનૢ મધ્યે એમ કહેવાને બદલે ‘મધ્યેડવુ’ એવા અવ્યયીભાવ સમાસ વાપર્યાં છે તેમાં વક્રતા રહેલી છે. અંરમધ્યે એવે તત્પુરુષ સમાસ પણ વાપરી શકાત, પણ એમાં ચમત્કાર નથી. અથવા જેમ કે શરીર પીળાશમાં ડૂમી ગયું.'' આ શ્લાક આખા પહેલાં ૪૮મા ઉદાહરણ તરીકે આવી ગયા છે. અહી” ‘પાંડુતા' કહેવાને બદલે ‘ઇમનિસ્' પ્રત્યયવાળા ‘વાંકિમા' શબ્દ વાપર્યાં છે તેમાં વક્રતા રહેલી છે. ત્રીજું ઉદાહરણ— “અમૃતની ધારાના પ્રવાહથી આનંદ આપનાર ચંદ્ર પૂર્ણ કળાવાળા ન હોય તેાયે માણસને બેચેન નથી કરી મૂકતા એવું નથી.” ૫૪ આ શ્લાકમાં બે નકાર વાપરીને ભારપૂર્વકના હકાર સૂચવ્યા છે તેમાં વક્રતા રહેલી છે. (છ) ‘લિંગવૈચિત્ર્ય' નામના પદપૂર્વા વક્રતાના બીજો એક સાતમા પ્રકાર જોવામાં આવે છે. એમાં ભિન્ન લિગના શબ્દોને પણ વૈચિત્ર્ય કહેતાં સૌદર્ય સાધવા માટે સમાનાધિકરણમાં એટલે કે એક જ વિભક્તિમાં વાપરવામાં આવે છે. જેમ કે— આ જડ જગતમાં મારી વાત(સાંભળવા)ને પાત્ર મેોટા કાન અને મોટા હાથ(સૂંઢ)વાળા કોણ હશે ?'' ૫૫ આ આખા ક્ષેાક ખીજા ઉન્મેષમાં ૩૫મા ઉદાહરણ તરીકે ઉતારેલે છે. એમાં : (કાણુ) અને પાત્રમ્ (પાત્ર) એ શબ્દ જુદા જુદા લિંગના
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy