SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વક્તિજીવિત [૧-૯ અર્થ કે હવે જોઈએ? તે કે કાવ્યમાં સહદને આનંદ આપનાર પિતાના સ્વભાવને લીધે સુંદર સહદ એટલે કે કાવ્યના મર્મ, તેમને આનંદ આપે એ પિતાને જે સ્વભાવ તેને લીધે સુંદર. એને અર્થ એ થયો કે પદાર્થના ધર્મો તે નાનાવિધ હોય છે, તેમ છતાં કાવ્યમાં તે એવા જ ધર્મ સાથે તેને સંબંધ વર્ણવ જોઈએ, જે સહદને આનંદ આપી શકે એમ હોય; અને જેમાં એવા સામર્થ્યની કલ્પના એટલા માટે કરવામાં આવે છે કે તેમાં કેઈ અપૂર્વ મહત્તા હોય છે અથવા તે રસને પરિપષ કરતે અથવા તેની અભિવ્યક્તિ કરતે હેય છે. જેમ કે – પૃથ્વીને ઉદ્ધાર કરતી વખતે પિતાની મહાનતાને કારણે જ પિતાની સ્વાભાવિક ઈચ્છાઓ પૂરી ન કરી શકેલા વરાહને જય હોપર્વતે તે એના દંકૂશળ અડતાં જ ચૂરેચૂરા થઈ જાય એટલે એ તેની સાથે પિતાની ખાંધ ખંજવાળી ન શક્યા, સાગરનાં પાણી એટલાં ઓછાં હતાં કે એની ખરીથી પડેલા ખાડામાં જ સમાઈ ગયાં એટલે એ તેમાં પડીને નાહી પણ ન શક્યા; પાતાળના કાદવમાં તે એમના મેઢાને લાંબે આગલે ભાગ (સૂંઢ) જ ડૂબી શકે એમ હતું એટલે એ તેમાં આળેટી જ ન શક્યા.” ૩૦ આ લેકમાં કવિએ વરાહના એવા એક સ્વભાવને મહિમા વર્ણવ્યું છે, જે તેની બીજી સ્વાભાવિક ક્રિયાઓને નિરોધ કરીને તેની સ્વાભાવિક મહત્તાને પ્રગટ કરી સહદને આનંદદાયક થઈ પડે. એવું જ બીજું ઉદાહરણ– કુશ અને સમિધ વિણવા નીકળેલા મુનિ રેવાના અવાજને અનુસરતા તેની પાસે પહોંચી ગયા. કયા મુનિ તે કે નિષાદે મારેલા પંખીને જોઈને ઊપજેલે જેમને શેક શ્લેકત્વને પામ્યું હતું તે.” ૩૧
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy