SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ વાક્તિજીવિત છે કે એ દ્વિવચનનું રૂપ શબ્દની અને અર્થની આખી જાતિના એધ કરાવે છે, અર્થાત્ કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો અને બધા જ અર્થાંનું સાહિત્ય સધાયેલુ હોવું જોઇએ એવા એના અર્થ સમજવાના છે. તેમ જો ન માનીએ અને) આ દ્વિવચન વ્યક્તિગત શબ્દ અને વ્યક્તિગત અર્થના મેધ કરાવે છે એમ માનીએ તે એક પદમાં રહેલા શબ્દ અને અર્થને પણ કાવ્ય માનવાને વારા આવે. માટે કહ્યું છે કે વધે વ્યસ્થિતૌ' -બંધમાં રહેલા.' ‘બંધ’ એટલે વાકચવિન્યાસ, વાકયની ગોઠવણીથી થતી આખી કૃતિ. તેમાં વ્યવસ્થિત એટલે વિશિષ્ટ ગુણ અને અલ કારથી શૈાભતી ગોઠવણીમાં ગાડવાયેલા. તિૌ’ના અર્થ અહીં પણ, પહેલાં કહ્યુ... તેમ, શબ્દનું પાતાની જાતિના બીજા શબ્દ સાથે અને અર્થનુ' પાતાની જાતિના બીજા અર્થ સાથે પરસ્પરની સ્પર્ધારૂપ સાહિત્ય જ વિવક્ષિત છે. એ વગર કૃતિ સહૃદયાને આનંદ આપી ન શકે. જેમ કે— “તુ` કેમ સંસારને અસાર, ત્રિભુવનને રત્ન લૂંટાઈ ગયુ. હાય એવું, જીવલેાકને જોવા જેવી વસ્તુ વગરના (નિરાલેાક), આંધવેાને મરણશરણુ, કદને દ વગરનેા, લેાકેાની આંખની રચનાને નિષ્ફળ અને જગતને જીર્ણ અરણ્ય બનાવી દેવા તૈયાર થયા છે ?’’ (માલતીમાધવ, ૫-૩૦) ૨૧ 6-B] આ àાકમાં કોઈ એક પ્રબંધ (માલતીમાધવ-૫-૩૦)માં કેાઈ કાપાલિક સ્ત્રી(માલતી)ને મારી નાખવા તૈયાર થયા છે, તેને ઉદ્દેશીને એમ કહેવામાં આવ્યું છે કે એના વિના સંસાર સાર વગરના, ત્રણે લેાક રત્ન લૂંટાઈ ગયુ` હાય એવા, જીવલેાક જોવા જેવી સુંદર વસ્તુ વગરના, બધા લોકોની આંખની રચના નિષ્ફળ જેવી, કહપ ત્રિભુવનવિજયી હોવાના દ` વગરના અને જગત જીણુ અરણ્ય જેવું થઈ જાય એમ છે, તે એવું ન કરવા જેવું કામ કરવા તું શા માટે તૈયાર થયા છે ? આ મહાવાકય જેવા લેાકમાં અવાંતર વાકયો જેવાં, નાયિ કાના સકલ લોકને લેાભાવે એવા લાવણ્યનું પ્રતિપાદન કરતાં અને
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy