SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–૧૧] વક્તિજીવિત ૩૪૩ રાક્ષસ — તે શું અગ્નિ અને વિષ જેવા ભયંકર રાજાના ક્રાધના તે ભેગ થઈ પડયો છે? પુરુષ તાખા, તાખા, ચંદ્રગુપ્તના રાજ્યમાં ક્રૂર વ્યવહાર થાય જ કયાંથી ? રાક્ષસ તે શું તે કોઈ અપ્રાપ્ય સ્રીના પ્રેમમાં પડયો છે ? પુરુષ (કાને હાથ દઈ) — તેાખા, તેાખા, એ એવા અવિનય કરે એવા નથી. - - - રાક્ષસ તેા પછી તારી પેઠે એને પણ મિત્રના નાશ એ જ વિષરૂપ થઈ પડયો છે? પુરુષ આય, ખીજું શું?” (મુદ્રારાક્ષસ, ૪–૧૫) ૪૩ .. આમાં મહાભ્યાધિ મહુવચનમાં વાપર્યું છે તે વચનવક્રતાના દાખલે છે. અગ્નિ અને વિષ જેવા’ એમાં વિશેષણવકતા છે. આ બધાને લીધે અહીં જે પ્રધાન વક્તવ્ય છે કે ચંદનદાસે રાજાનુ આવું અહિત કર્યું છે અને તેને વધસ્થાને ખડો કરવામાં આવ્યે છે તેમ છતાં તે રાજાના દૃમાણુને અવગણીને રાક્ષસની પત્ની પાછી સોંપવા તૈયાર થતા નથી. અને પરિણામે તેના વધ થઈ રહ્યો છે, એનું જ સમન થાય છે. એને' એવું સર્વનામ વાપર્યું છે એનાથી ચંદનદાસનું સ્વાભાવિક સૌહાર્દ પ્રગટ થાય છે, અને એને નિભાવવા માટે જ એણે મરવું પડે છે. ‘તમારી પેઠે’ એ પ્રયાગથી એમ સૂચવાય છે કે એ પણ ઝટઝટ બધાં સાધના ભેગાં કરી આત્મહત્યા કરવા ઇચ્છે છે. આ બધી યુક્તિઓને લીધે અહીં કહેવા ધારેલા અથ સારી રીતે પ્રગટ થાય છે અને શૈાભી ઊઠે છે, તેમ જ નવીનતા ધારણ કરે છે. આ જ રીતે એ નાટકમાંથી ખીજા પણ દૃષ્ટાંતા શેાધીને સમજી લેવાં. પ્રધાન ક્લસિદ્ધિ પણ અહીં રાક્ષસની આ ઉક્તિમાં સૂચ - - વવામાં આવી છે કે— “મારા મિત્રને મરવા દેવા ચેાગ્ય નથી; એને છેડાવવા માટે બદલામાં હું મારે. દેહ અપી દઈશ.” (મુદ્રા॰ ૬-૨૧૬) અને એ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy