SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૭ વક્રાક્તિજીવિત ૧૧ ત્યારે તારા એ જવાથી મને શા માટે અકારણ દુઃખ થાય છે?” તા એ ઉક્તિ અત્યંત ગ્રામ્ય છે. વળી, એ દુઃખ અકારણ પણ નથી. કારણ, તે સ્ત્રી એના અનાદર કરીને જાય છે, એટલે તેના ઉપર પ્રેમ રાખનારના અંતરને વિરહવેદનાની આશકાથી જે ભીતિ જાગે એ જ એના દુઃખનું કારણ છે. અથવા જો અહીં એવું વિક્ષિત હાય કે ‘તારે જવું હોય તે મારી સાથે કેમ નથી જતી ’ અને એ રીતે ‘અકારણુ’ શબ્દનું સમર્થન કરવું હોય તા એ ઉક્તિ પણ વળી વધુ ગ્રામ્ય છે. શ્લોકમાં વાપરેલાં અનેક સંબોધના મુનિએનાં રચેલાં સ્તત્રો જેવાં લાગે છે (કારણ, સ્તોત્રોમાં એક જ દેવતા માટે અનેક સંબોધના વાપરવામાં આવ્યાં હાય છે.) એ કાવ્યજ્ઞોને આન' આપનાર સૌંદર્યમાં વધારા કરતાં નથી. એટલે આ લેાક તદ્ન સામાન્ય છે. (એને કાવ્ય ન કહેવાય. એનેા અર્થ એ થયા કે અર્થના સૌદર્ય વગરનું કેવળ શબ્દનું સૌંદર્ય કાવ્ય માટે પૂરતું નથી.) (શબ્દની) ચારુતા વગરનું કેવળ વસ્તુ પણ કાવ્ય નામને પાત્ર બનતું નથી. જેમ કે— પદાર્થી સ્વય’પ્રકાશ નથી હાતા. જો તેવા (સ્વય’પ્રકાશ) હોય તે અંધકારમાં પણ તેએ પ્રગટ કેમ થતા નથી ? (પદાર્થોમાં) ગુણાના અધ્યાસ કહેતાં મિથ્યા પ્રતીતિ કરવાના અભ્યાસ અને વ્યસનની દીક્ષાને કારણે પ્રખળ ગુણવાળા એ સૂર્યના વ્યાપાર છે. (એટલે કે બધા પદાર્થોને પ્રકાશિત કરવાનું કામ સૂર્યનું છે.) એના તેજ જેવું બીજું શું હોય ?’’૧૧ આ શ્લોકમાં શુષ્ક ત વાકયની વાસનાથી વ્યાપ્ત ચિત્તવાળા કવિએ કેવળ પ્રતિભામાં પ્રતીત થયેલા વસ્તુમાત્રને શબ્દમાં રજૂ કર્યું છે. પરંતુ એમાં શબ્દસૌને લેશ પણ નથી. કારણ કે આ શ્ર્લોકનું સ્વરૂપ અનુમાનવાકયનું જ છે. જેમ કે અંધકાર સિવાયના પદાર્થ' ધમી છે અને ‘તેએ સ્વયં પ્રકાશ નથી’ એ સાધ્ય (પુરવાર
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy