SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-૬] વક્રોક્તિજીવિત ૩૨૫ સાગરદત્તને સમુદ્રદત્તની વાત જણાવે છે. એટલે કુલકલંકના ભયથી દુ:ખી થતા તે સાર્થવાહ વહુને પેાતાના પુત્રથી જ ગર્ભ રહ્યો છે એમ જાણી તેના શુદ્ધ ચારિત્ર્ય વિશે નિઃશક બને છે, એમાં પેલી વીંટી ખૂબ ઉપયાગી થઈ પડે છે. સાગરદત્ત કહે છે— “મારા પુત્રના નામવાળી એ વી...ટી વહુની ચારિત્ર્યશુદ્ધિને સ્પષ્ટ રીતે જાહેર કરે છે. પણ મારા પાપની શુદ્ધિ તે પશ્ચાત્તાપ જ કરશે.” ૧૪ દ્વારપાળને જ્યારે એમ પૂછવામાં આવે છે કે તે અમને પહેલાં કેમ ન કહ્યું, ત્યારે તે કહે છે (પ્રાકૃત ભ્રષ્ટ હાર્દ અનુવાદ થઇ શકે એમ નથી) ૧૫ વાચકોએ તે મૂળમાં જ જોઈ લેવું. વળી જેમ કે ઉત્તરરામચરિત’માં— કઠોરગર્ભો સીતાના વિનાદ માટે રામ પહેલાં થઈ ગયેલા રાજાએનાં ચિત્રો બતાવતાં અમેઘ ાંભકાસ્રોને વિશે કહે છે— “આ તારા સંતાનને પૂરેપૂરાં પ્રાપ્ત થશે.” આ ઉક્તિ પાંચમા અંકમાં સીતાપુત્ર લવને ઓળખવામાં ખૂબ ઉપયાગી થઈ પડે છે. ત્યાં લવ યુદ્ધકળામાં નિપુણ ચંદ્રકેતુ સાથે ક્ષણિક યુદ્ધક્રીડાના પ્રસ્તાવ કરે છે એ વખતે કાલાહુલ મચાવતા વિશાળ સૈન્યને મારી હઠાવવાની ઉત્કંઠાથી ઝડૂળતા લવે જા...ભકાસ્ત્ર વાપરવાના વિચાર કરી કહ્યું—— “ભલે, તેા સમય ન બગડે તે માટે જા ભકાચ વડે સૈન્યાને જરી નિશ્ચેતન કરી દઉં.” સુમંત્ર (ગભરાટથી) : વત્સ, મને લાગે છે કે આ કુમારે જા ભકાસ્ર આમંણ્યું છે. ચંદ્રકેતુ એમાં શે સંદેહ— તિમિર-વીજળી કે ચૈાગ આ શે પ્રચંડ દુખતી રંગ, થતી એ જોઈ ઉઘાડમી'ચ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy