SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-૬૧] વાક્તિજીવિત ૩૦૯ એમ નથી. એટલે કવિને અહીં પ્રધાનપણે પ્રતીયમાન ઉત્પ્રેક્ષા અભિપ્રેત છે. રાજાની કીર્તિ એવી અદ્ભુત છે કે તે સર્વત્ર વ્યાપી ગઇ છે અને અનેક સંભાવના ઉત્પન્ન કરે છે અને તેથી સિદ્ધોના મનમાં આશંકા જાગે છે. એ એ (રૂપક અને ઉત્પ્રેક્ષા) અલકારા એવા તેા સેળભેળ થયેલા છે કે એ એને છૂટા પાડી શકાય નહિ અને એક વગર ખીન્ને અસ્તિત્વમાં આવી શકે નહિ. એ એ સંવાક્રિતાપૂર્વક એકબીજામાં ભળી જાય તે જ અસરકારક બની શકે. એટલે એને સંકરાલ કાર કહે છે. વાકયના એક ભાગમાં સંકર હાય એવું ઉદાહરણ—— ગગનરૂપી સાપે ઉતારી નાખેલી કાંચની જેવું.” (આ ઉન્મેષમાં ૯૨મુ' ઉદાહરણ, પૃ. ૨૪૩) આ દાખલામાં ગગનને સપનું રૂપક બેધડક આપી શકાય એમ નથી, તેથી એણે ઉતારી નાખેલી કાંચળી જેવું એવી ઉત્પ્રેક્ષા વડે રૂપક અલંકાર માટે અવકાશ ઊભે કરવામાં આવ્યેા છે. એ જ રીતે રૂપકને કારણે ઉત્પ્રેક્ષા અસ્તિત્વમાં આવી શકી છે. એટલે આ પણ સંકર અલંકારના જ દાખલા છે. અહીં કાઈ એવા પ્રશ્ન કરે કે એ રીતે જોતાં તા આને રચવામાં.’(આ ઉન્મેષમાં ૧૨મું ઉદાહરણ, પૃ. ૧૮૧ તથા શું તારુણ્યતરુ તણી.' (પહેલા ઉન્મેષમાં ૬૨મું ઉદાહરણ, પૃ. ૭૯) વગેરેને પણ સ’કરાલ કારનાં જ ઉદાડુરણુ ગણવાં જોઈએ. પણ એમ ગણી ન શકાય. કારણ, પહેલામાં સસંદેહની સહાય વગર પ્રતીયમાનાપ્રેક્ષા સંભવતી નથી અને ખીજામાં રૂપકનું પણ એવું જ છે, એટલે એ બંનેના પ્રકાર સરખા જ છે. એ બંનેમાં સસંદેહનું સૌ મોતીના હારમાં ગાંઠેલાં રત્નાના ચંદ્રક જેવું છે. સંસૃષ્ટિનું સૌ વિવિધ રત્નાના હારના સૌય જેવું છે, જ્યારે સ'કરનું સૌય વિવિધ રત્નાના હારમાંનાં બધાં રત્નાના મિશ્રણથી પ્રગટતી ઝલક જેવુ' છે. આમ એ બે વચ્ચે સ્પષ્ટ ભેદ છે.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy