SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૬ વક્તિજીવિત [૩-૩૦, ૪૦ તે એક જ વસ્તુ ઉપમેય અને ઉપમાન બંને બની જાય. એટલે કે એકની એક વસ્તુને ઉપમાન પણ ગણવામાં આવે અને ઉપમેય પણ ગણવામાં આવે. શોકમાં ડૂબેલા માણસને પડી રહેવું અથવા ઊંઘવું એ પણ લેભાવનારું થઈ પડે છે, પ્રેમીઓને એ આશ્વાસનરૂપ થઈ પડે છે.” ૧૪૦ આવા દાખલામાં તુલ્યોગિતા અલંકાર માને કે કેમ એને હવે વિચાર કરે છે– ૩૯, ૪૦ તુલ્યોગિતા એ જુદે અલકાર નથી. એમાં બે કે વધુ સમાન પદાર્થો ભેગા કરવામાં આવે છે, અને તેમાં દરેક મુખ્ય વણ્ય વિષય હવાને દાવો કરે છે, કારણ, કેઈનું પ્રાધાન્ય સ્પષ્ટપણે કહેલું હતું નથી. મુખ્ય વયે વિષય તો એક જ છે જોઈએ પણ જ્યારે એકથી વધુ પદાર્થો મુખ્ય હેવાને દા કરે ત્યારે કઈ શી રીતે નક્કી કરે કે કઈ વસ્તુ અલકાર્ય છે અને કઈ વસ્તુ અલકાર છે? આને સમજાવતાં કહે છે કે જેને તુલ્યોગિતા કહે છે તે અલંકાર નથી. કારણ, એમાં બે કે વધુ સમાન પદાર્થોને વણ્ય વિષય બનાવવામાં આવે છે. મુખ્ય વણ્ય વિષય કર્યો છે એ જે નક્કી ન થઈ શકતું હોય તે પછી કેણ કેને શણગારે છે એ શી રીતે નક્કી થઈ શકે? દરેક પ્રધાન છે એમ કહીએ તે કેણ પ્રધાન છે એ નક્કી ન થઈ શકતું હોવાથી કેઈ કોઈને અલંકાર બની શકતું નથી. જે એમ કહો કે એમાને કઈ પણ એક બાકીનાને અલંકાર બને છે, તે તે પણ તર્કસંગત નથી. શાથી? તે કે એમ કરવાથી કોઈનું સર્વોપરિ પ્રાધાન્ય રહેતું નથી. કેમ કે જે કોઈ વસ્તુ અલંકાર હોય તે તે બીજાનું અંગ હેવી જોઈએ, અને તે તેનું પ્રાધાન્ય રહેતું નથી. પ્રધાન વસ્તુ જે રૂપે પ્રાધાન્ય ભગવતી
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy