SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૦ વક્રોક્તિ જીવિત [૩-૨૯, ૩૦, ૩૧ સારી રીતે વર્ણવવા ધારેલા વાક્યાથે સાથે તેનાથી જુદે જ અર્થ હવે તેને કાવ્યતત્વો ઉલ્લેક્ષા અલંકાર કહે છે. એને સમજાવતાં કહે છે કે સારી રીતે વર્ણવવા ધારેલા વાક્યર્થ સાથે તેનાથી જુદો જ અર્થ જે તે ઉન્મેક્ષા. વણ્ય વસ્તુ અનેક શબ્દના બનેલા વાક્યના અર્થરૂપ હોય છે. તેની સાથે તેનાથી જ જ અર્થ એટલે કે બીજા જ વાક્યના તાત્પર્યરૂપ અર્થ જોડ તે ઉભેક્ષા. જેમાં ઉભેલા એટલે કે કલપના કરવામાં આવી હોય તે ઉભેક્ષા એવી એની વ્યુત્પત્તિ આપી શકાય. કયા સાધનથી? તે કે સંભાવનાને આધારે કરેલા અનુમાનથી. એટલે કે સંભાવ્ય અર્થના અનુમાનથી. એને અર્થ એ કે વણ્ય વસ્તુને તેના જેવાં જ કાર્ય કરતી બીજી વસ્તુમાં પલટી નાખવી, અર્થાત ઉપમેયને ઉપમાનનું રૂપ આપી દેવું. આ ઉપ્રેક્ષા બીજી રીતે પણ સંભવે છે. કઈ રીતે? તે કે સાદેશ્યથી. સામ્યને આધારે પણ વિવક્ષિત વાક્યર્થ સાથે તેનાથી જુદા જ વાક્યર્થને જોડે તે પણ ઉપ્રેક્ષા કહેવાય. સાદશ્ય બે પ્રકારનું સંભવે છેઃ (૧) વાસ્તવિક અને (૨) કાલ્પનિક. એમાંથી વાસ્તવિક સાદશ્ય એ ઉપમાદિને વિષય છે અને કાલ્પનિક સાદશ્ય ઉèક્ષાને વિષય છે, કારણ, એનાથી વિશેષ સૌદર્ય સધાય છે. બે વસ્તુના અસ્તિત્વ વગર સાશ્ય સંભવતું નથી, તેમ જ પ્રસ્તુત વસ્તુથી જુદી બીજી કઈ પ્રસ્તુત વસ્તુ (કાવ્યરચના પ્રસંગે સંભવતી નથી. સાદશ્યને જે ધર્મ માનીએ તે ધર્મ તે પરાશ્રિત હોય છે. એટલે કેવળ (એટલે કે નિરાધાર) ધર્મની કલ્પના તર્કસંગત નથી. તેથી તેના આશ્રય તરીકે બીજી કઈ વસ્તુની કલ્પના કરવી પડે. તે કઈ હોઈ શકે એને કેઈ નિયમ નથી. એટલે ગમે તે એક કલ્પી લઈએ તે પછી એને અંત જ ન આવે અને અનવસ્થા
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy