SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વતિજીવિત ૧૮૩ સ્વર્ગની અપ્સરાઓએ નંદનવનને ફૂલ વગરનું બનાવી દીધું છે એટલે મારે અહીં આવવું પડયું.” ૧૩ આવા દાખલાઓમાં વર્ણનીય વસ્તુને વિશિષ્ટ અતિશય સિદ્ધ કરવા માટે અલંકાજના કરવી પડે છે. જેમ કે આ ઉદાહરણમાં અલંકારની કલ્પના વગર કઈ રીતે વાક્યર્થની સંગતિ સધાતી નથી. કારણ, આવા કપિત વિષયમાં પ્રત્યક્ષાદિ પ્રમાણેથી વસ્તુની ઉપપત્તિ સ્થાપી શકાતી નથી, એટલે (સ્વર્ગને માળી અહીં ફૂલ ખરીદવા આવે એવા વર્ણનીય વિષયરૂ૫) સ્વાભાવિક વસ્તુ અહીં ધર્મરૂપે સ્થાપી શકાતું નથી. એટલે વિદગ્ધ કવિની પ્રતિભાએ જેલા અલંકારને વિષય બનવાને કારણે જ એ સહૃદયાહૂલાદકારી બને છે. અહીં જાયેલા અલંકારની સમજૂતી આ પ્રમાણે છેઃ ઘનઘેર યુદ્ધમાં વીરને શેભે એવા પરાક્રમની પ્રશંસા સાંભળી એ અજ્ઞાત નામને રાજા પતિ તરીકે મળવાથી ઉલ્લાસમાં આવેલી સ્વર્ગની અપ્સરાઓએ મંદાર વગેરે પુષ્પની હજારો માળા તેને પહેરાવવા માટે ફૂલો ચૂંટી લીધાં હોવાથી નંદનવન ફૂલ વગરનું થઈ ગયું એવી ઉન્મેલા અહીં કરવામાં આવી છે. કવિઓ ઉÈક્ષાના વિષયભૂત વસ્તુને “આ તેને જેવું છે અને “આ તે જ છે એમ બે રીતે નિરૂપે છે, એ વાત એ અલંકારોની વ્યાખ્યાને પ્રસંગે ચર્ચવામાં આવશે. આમ, આ લેકમની ઉમ્બેલા, અપ્રસ્તુતપ્રશંસાની ચેજનાને લીધે, વર્ણીમાન રાજાના પ્રતાપના અતિશય પરિપષ કરી, પિતે અત્યંત સુંદર રૂપે પ્રગટ થઈ સહદનાં હૃદયોને આકર્ષે છે. આ કલેકમાં અપ્રસ્તુતપ્રશંસાથી પરિપુષ્ટ થયેલી ઉક્ષા છે એમ કુતક કહે છે. જ્યારે બીજા કેટલાક અહીં અતિશયોક્તિ અલંકાર છે એમ માને છે. તેને જવાબ આપતાં હવે કુંતક કહે છે કે – ઉલ્ઝક્ષામાં અતિશય હોય છે એ તે એની વ્યાખ્યામાં જ ભામહે કહી દીધેલું છે?
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy