SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૧૫] વક્રાક્તિજીવિત ૧૩૭ આ વાકયમાં અતિભુવો અને રાગમાત્રા એ બે પદો સમાનાધિકરણમાં આવેલાં છે. પણ એમને સંબધ માત્ર વિશેષ્ય-વિશેષણનેા નથી પણુ કારણકા ના છે. અડદ ન ખાવા કારણ, એ પચવામાં બહુ ભારે છે, એવા એના અર્થ છે. અહીં કોઈ કદાચ એવા પ્રશ્ન પૂછે કે આ પહેલાં જે ઉપચારવકતાના પ્રકાર કહ્યો તેમાં અને આમાં શે। ફેર ? તે એનેા જવાબ એ કે એ પહેલાં કહેલા પ્રકારમાં સ્વભાવભેદને કારણે સામાન્ય જરા જેટલી સમાનતાને આધારે અતિશયનું પ્રતિપાદન કરવા માટે તે ધર્મ માત્રના અધ્યારોપ કરવામાં આવ્યા હોય છે. જ્યારે આ પ્રકારમાં બે પદાર્થો વચ્ચે અ ંતર થાડું હાઈ સાદૃશ્યને કારણે બંને ઘણા નજીક ડાય છે અને તેથી તેને ઉચિત ઉપચારથી તે (પટ્ટાના ધર્મના નહિ પણ તે) પદાર્થને જ અધ્યારોય કરવામાં આવે છે. જેમ કે— “કાલ કહેતાં યમરાજના કાનના કમળ (આભૂષણરૂપ). અથવા સેનારૂપી વનના ઝેરી પલ્લવરૂપ, અથવા ગાંભીર્યરૂપી પાતાળના નાગરાજ(રૂપ) તલવારા હાય પછી તમારી આગળ વિષ્ણુ(રાક્ષસ)નાયે શા ભાર ?” ૪૯ આ શ્લેકમાં યમરાજના કર્ણાત્પલ વગેરેના સાદ્દેશ્યને લીધે અભેદોપચારથી (તલવારોમાં) તે પદાર્થ ના અધ્યારોપ કરવામાં આવ્યે છે. ટૂંકમાં કહેવું હાય તા, પહેલા પ્રકારની ઉપચારવક્રતામાં ધર્મના અધ્યારોપ હાય છે, જ્યારે બીજા પ્રકારમાં ધી`તા, તે પદાર્થના અધ્યારાપ હાય છે. પહેલા પ્રકારમાં અંતર ઘણું હાય અને સામ્ય નામનું હાય છે, જ્યારે ખીજા પ્રકારમાં અંતર ઓછું અને સામ્ય ધણું હેાય છે. ચૌદમી કારિકામાં ‘રૂપકાદિ અલ'કારા' કહ્યા છે. તેમાં આદિ પદ્મથી અપ્રસ્તુતપ્રશંસા અલકારના અન્યક્તિ નામના ભેદમાં ઉપચારવકતા જ તેના જીવિતરૂપ હોય છે. વળી, કવિએ ઘણી વાર કોઈ બીજા જ પદ્મા ને પ્રધાનપણે
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy