SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ [ શ્રાદ્ધ વિધિ WWWWWWWWWWW વિત્રપણું વિચારવું. તેમજ મૂલમાં આદિ' શબ્દ લખેલ હોવાથી વિષયવાસનાથી અટકેલા જંબુસ્વામિ, સ્યુલિભદ્ર અને સુદર્શન શેઠ વગેરે આદર્શરૂપ શ્રાવકેએ દુઃખે પાળી શકાય તેવા શિયળતને પાળવામાં કરેલી એકાગ્રતા વિગેરેને વિચાર કરો. ૨ તેમજ ક્રોધ માન માયા લેભ રૂપ કષાયને જીતવાને ઉપાય ચિંતવ. ૩ સંસારની નશ્વર અને વિષમ સ્થિતિને વિચાર કર. અને ૪ વિવિધ ઉત્તમ પ્રકારના ધર્મ કરવાના મરથ ચિતવવા. કામરાગને જીત. સ્ત્રીનું શરીર અપવિત્ર અને જુગુપ્સનીય છે એ વાત પ્રસિદ્ધ છે. પૂજ્ય મુનિચંદ્ર સૂરિજીએ આધ્યાત્મક૯૫મમાં કહ્યું છે કે હે જીવ! ચામડી, હાડકાં, મજજા, આંતરડાં, ચરબી, લેહી, માંસ, વિષ્ટા વિગેરે અશુચિ અને અસ્થિર યુગલને સમુહ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યું છે. તેમાં તેને શું રમણીય લાગે છે? ૧ હે જીવ! વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ દર પડેલી તારા જેવામાં આવે તે પણ તું શું શું કરે છે અને નાક મરડે છે આમ છતાં તે મૂર્ખ ! એજ વિષ્ટા પ્રમુખ અશુચિથી ભરેલા સ્ત્રીના શરીરની તું કેમ ઈચ્છા કરે છે? ૨. વિષ્ટાની કોથળી સરખી, શરીરના છિદ્રમાંથી નીકળતા મલથી મલિન થયેલી, ઉત્પન્ન થયેલા કૃમિઓના સમૂહથી ખદબદતી તથા ચપળતા, કપટ અને અસત્યથી પુરૂષને ઠગનારી સ્ત્રીને બહારની ટાપટીપથી આકર્ષાઈ જે જીવ ભગવે છે. તે નરકગતિને પામે છે ૩. કામવિકાર ત્રણે લોકને વિડંબના કરનાર છે. તથાપિ મનમાં વિષય સંકલ્પ કરવાનું તુ છોડે તે તે કામવિકાર જલદી છતાય છે જ કહ્યું છે મુનિને વાંદ્યા. લોકેએ કહ્યું “રાજન ! આચાર્યને છેડી આ મુનિને તમે કેમ વાંધા? રાજાએ પિતાને પૂર્વભવ વાનરપણાને કહી બતાવ્યું અને જણાવ્યું કે “આ મારા પરમ ઉપકારી છે.” આચાર્યે કહ્યું, રાજન! તિર્યચપણમાં પણ તમે ધર્મ કરી આવી રાજ્યઋદ્ધિ પામ્યા તે માનવભવમાં શુદ્ધ રીતે ધર્મ કરો તે જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે ન મેળવી શકાય? રાજા પ્રતિબંધ પા; તેણે પિતાના પુત્ર પદ્ધશેખરને રાજ્યગાદી ઉપર સ્થાપી તુર્ત આચાર્ય પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા આરંભી. એક વખત અરૂણદેવ રાજર્ષિ વિહાર કરતા હતા તે વખતે આકાશમાંથી પસાર થતી લક્ષ્મીદેવીએ જેયા. તેને તેમની પરીક્ષા કરવાનું મન થયું. તેણે નીચે ઉતરી મુનિની સમક્ષ અનેક દેવાંગનાઓ વિકુવ અનુકુળ ઉપસર્ગ કર્યો. અનુકુળ ઉપસર્ગથી જ્યારે તે ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે ઘણા પ્રતિકુળ ઉપસર્ગ કર્યા આમ છ માસ અનેકવિધ ઉપસર્ગો કરી દેવી થાકી અને મુનિવરને અપરાધ ખમાવી તેમની સ્તવના કરતી અંતધન થઈ. અરૂણદેવ રાજર્ષિએ તે ભવમાં ઉગ્ર તપશ્ચર્યા કરી નિરતિચાર ચારિત્ર પાળી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને આયુષ્ય પૂર્ણ કરી દસમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી એવી મહાવદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તીર્થંકર થઈ મુકિતપદને વરશે. આ પ્રમાણે દેશાવકાસિક વ્રત ઉપર વાનરજીવ કથા. આચાર પ્રદીપ પુ ૬૬.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy