SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ [ શ્રાદ્ધ વિધિ તથા ચાર શરણને ગ્રહણ કરવાં, સર્વ જીવરાશિને ખમાવવી. અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરે, પાપની નિંદા કરવી, પુણ્યની અનુમોદના કરવી, તથા પ્રથમ નમસ્કાર ગણી. जई मे हुन्ज पमाओ इमस्स देहस्स इमाइ रयणीए, ___आहारमुहिदेहं सव्वं तिविहेण वोसिरिअं ॥१॥ અર્થ –જે આ રાત્રિને વિષે આ દેહ વડે મારાથી પ્રમાદ થાય તે આ દેહ, આહાર અને ઉપધિ એ સર્વને ત્રિવિધ સિરાવું છું, આ ગાથા ત્રણવાર બેલી ત્રણ વખત સાગરિક અણસણનો સ્વીકાર કરે. ત્યારબાદ સુવાની વખતે નવકારનું સ્મરણ કરવું ભાવી જીવન પવિત્ર કરીશ.” મુનિઓ શેડીવાર તે અચયા પણ છેવટે તેમને લાગ્યું કે તાત્કાલિક કાંઈ પણ પ્રતિકાર થાય તેમ નથી તેમ જાણી એક બીજાને ખમાવી સે નીકળ્યા. કટક વિદ્ધ મુનિ એક શિલાતીને પિતાને ઉપાશ્રય માની ધ્યાન મગ્ન રહ્યા, તેવામાં થોડી વારે કેટલાક વાનરનું ટેળું આ યું કેટલાક મુનિને મારવા પથરા તે કેટલાકે લાકડાના કરચાઓ ઉપાડયા, તેવામાં વૈદ્યનો જીવ જે વાનર થયે હતું તે ત્યાં આ મુનિને જોતાં Ú. તેને આવા મુનિને કયાંય ને કયાંય જોયાછે એમ વિચારતાં પૂર્વભવ યાદ આવ્યો તેણે મુનિઓને મારવા તૈયાર થયેલ વાનર અને વાનરીઓને દૂર કર્યા અને સિદ્ધવેવની પેઠે મુનિને પગ હાથમાં લઈ પૂર્વભવના અભ્યાસથી મુનિનાં પગમાંથી કંટક ખેંચી કાઢયે તુર્ત વાનર જંગલમાં ઉપડયો અને સંરેહિણી ઔષધિ લગાવી મુનિના પગને સારો બનાવ્યો. મુનિએ વાનરને ઉદ્દેશી કહ્યું “હે વાનર! તું તિર્યંચ છે છતાં આ તિર્યચપણામાં પણ તે પ્રયત્ન કરે તે તારું કલ્યાણ સાધી શકે છે, કંબલ અને સંબલે તિર્યચપણમાં પણ ધર્મ કરી દેવગતિ મેળવી. ભગવાનને ડંખ દેનાર ચંડકૌશિક સર્ષે પણ સમભાવ રાખી કલ્યાણ સાધ્યું છે. માટે સમ્યક્ત્વ મૂળ બારવ્રતને શકિત મુજબ આરાધ. જેથી ઘણા પાપ પણ નાશ પામશે. તેમજ બારવ્રતમાં પણ વિશેષ કરીને દેશવકાસિક વ્રત આરાધવા યોગ્ય છે. આ વ્રત સામાયિક સહિત અને સામાયિક રહિત એમ બે પ્રકારે થાય છે મનથી પણ પાપ વ્યાપાર નહિ કરવાનો નિર્ણય કરી નિયમિત કરેલી ભૂમિમાં રહેવું તે સામાયિક દેશાવકાસિક છે, અને બીજાથી નિયમિત કરેલી ભૂમિમાં સર્વત્રતના સંક્ષેપરૂપ દેશાવકાસિક કરવાથી તે ભૂમિસિવાય બીજા બધા સ્થળન પાપને નિષેધ થાય છે. વારનું ચિત્ત દેશાવકાસિક ઉપર ચટયું. મુનિએ વાનરને ધર્મમાં સ્થિર કરી ત્યાંથી આગળ વિહાર કર્યો અને કેમે કરી સમેતશિખર પહોંચ્યા વાનરને સંપૂર્ણ ફળની ઈચ્છા થઈ તેથી તેણે તેજ રાત્રિએ એક પર્વત ઉપર સમાયિક સહિત દેશાવકાસિક વ્રત સ્વીકાર્યું. રાત્રે સિહે વાનર ઉપર હૂમલે કર્યો. વાનર વ્રતને સંભાળી પગલું પણ ખસ્ય નહી. આ રીતે સિંહે વાનરને ફાડી નાખ્યો. વાનરે મન સ્થિર રાખ્યું. અને ત્યાંથી ધર્મ ધ્યાનમાં મત્યુ પામી ભુવનપતિમાં હજારો વર્ષના આયુષ્યવાળો દેવ થયા.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy