SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિંતાચરણ ] ૨૧૩ વિષે ઈર્ષ્યા કરવી નહીં ૪૪ તથા પિતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણ કરવું. ૪૫ ઈર્ષ્યા કરવાથી આયુષ્ય ઘટે છે માટે ઈર્ષ્યા કરવી નહિં. ૪૬ હે મહારાજ! રાત્રિએ જળને વ્યાપાર, દહિં અને સાથવાનું ભોજન તેમજ મધ્યરાત્રિએ ભેજન કરવું નહિ,૪૭ડાહ્યા માણસે ઘણી વાર સુધી ઢીંચણ ઉંચા કરીને ન સુવું ૪૮ દેહિક આસને બેસવું. તથા ૪૫ગે આસન ખેંચીને પણ ન બેસવું, ૫૦ પુરૂષે તદ્દન પ્રાત:કાળમાં, તદ્દન સંધ્યાને વિષે તથા ખરા બપોરે તથા એકાકીપણે અથવા ઘણા અજાણુ લોકેાની સાથે જવું નહીં.૫૧હે મહારાજ ! બુદ્ધિશાળી પુરુષોએ મલિન દર્પણમાં પિતાનું મુખ વગેરે ન જેવું, પર તથા દીર્ધાયુષ્યની વાંચ્છા કરનાર પુરૂષે રાત્રિએ પણ દર્પણમાં પિતાનું મેં જેવું નહિં, પ૩ હે રાજા!પંડિત પુરૂષે એક કમલ અને કુવલય લઈને રાતી માળા ધારણ ન કરવી પણ સફેદ ધારણ કરવી. ૫૪ હે રાજન! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વસ્ત્ર જૂદાં જુદાં રાખવાં, ૫૫ બેલવાની તથા હાથ પગની ચપળતા, અતિશય ભજન, શય્યા ઉપર દીવે, તથા અધમ પુરૂષની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં. ૫૬ નાક ખોતરવું નહીં, ૫૭ પોતે પોતાના પગરખાં ન ઉપાડવાં. ૫૮ માથે ભાર ન ઉપાડ, ૫૯ તથા વરસાદ વરસતે હોય ત્યારે દેડવું નહીં, પાત્ર ભાગે તે પ્રાય કલહ થાય છે, અને ખાટ ભાગે તે વાહનને ક્ષય થાય, જ્યાં શ્વાન અને કૂકડે વસતા હોય ત્યાં પિતરાઈઓ પિતાને પિંડ લેતા નથી. ૬ ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પ્રથમ સુવાસિની સ્ત્રી, ગર્ભિણી, વૃદ્ધ, બાળક અને રાગી એમને જમાડવા અને પછી પોતે જમવું. ૬૧ હે પાંડવશ્રેષ્ઠ !ગાય, બળદ આદિ ઘરમાં બંધનમાં રાખી તથા જેનારા માણસેને કાંઈક ભાગ ન આપી પોતે એકલો જે માણસ ભજન કરે છે, તે કેવળ પાપજ ભક્ષણ કરે છે. ૬૨ ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થે પોતાની જ્ઞાતિનો ઘરડો થએલે માણસ અને પોતાને દરિદ્રી થએલો મિત્ર એમને ઘરમાં રાખવા. ૬૩ ડાહ્યા માણસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવો. કારણ કે, સ્વાWથી ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. ૬૪ ઘેડા લાભને અર્થે ઘણું નુકશાન ખમવું નહીં, ડું ખરચી ઘણાને બચાવ કરે એમાં જ ડહાપણ છે. ૬પલેણું, દેણું તથા બીજાં કર્તવ્યકમ જે સમયે કરવાં જોઈએ, તે સમયે જે શિધ્ર ન કરાય છે તેની અંદર રહેલો રસ કાળ ચૂસી લે છે. ૬૬ જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપન થાય, ગુણ દેવની પણ વાત ન થાય, તેને ઘેર જવું નહિં. ૬૭હે અર્જુન! વગર બોલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બેલે, તથા ન આપેલા આસને પિતેજ બેસે, તે પુરૂષ અધમ જાણ. ૬૮ અંગમાં શકિત નહીં છતાં કેપ કરે, નિધન છતાં માનને વછે, અને તે નિર્ગુણી છતાં ગુણ પુરૂષને દ્વેષ કરે, એ ત્રણે પુરૂષ જગમાં લાકડી સમાન સમજવા. ૬૯ માતાપિતાનું પિષણ ન કરનાર, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનાર અને મૃત પુ. * સૂર્યવિકાસી રતું કમળ.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy