SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષદ્ઘકરણ अपूर्वकरणे क्षायोपशमिकगुणविलयः ૨૫૮ वर्तमानस्य तथाऽसञ्जतपूर्वो ग्रन्थिभेदादिफल उच्यते । तत्र प्रथमेऽस्मिन् ग्रन्थिभेदः फलं, अयञ्च सम्यग्दर्शनफलः, सम्यग्दर्शनश्च प्रशम - संवेग - निर्वेदानुकम्पास्तिक्यलिङ्ग आत्मपरिणामः । द्वितीये त्वपूर्वकरणे तथाविधकर्मस्थितेः तथाविधसंख्येयसागरोपमातिक्रमभाविनि क्षायोपशमिकाः मोहनीयादिघातिकर्मक्षयोपરામનન્યા: ક્ષમાવાઃ = क्षान्ति-मार्दवार्जव-सन्तोषादयो गुणा अपि यास्यन्ति किम्पुनः औदयिका प्रशस्ता गुणा अप्रशस्ता दोषा वा ? इत्यपिशब्दार्थः । अयमेव धर्मसंन्यासः तात्त्विकः कथ्यते इति व्यक्तं योगदृष्टिसमुच्चये । परं तदुत्तरं केवलं क्षायिकाः घनघातिकर्मक्षयाभिव्यक्ताः स्वाभाविकाः क्षमाद्याः गुणा आत्मनि सदा स्थास्यन्ति स्थिरा भविष्यन्ति । इत्थञ्च सामर्थ्ययोगाऽपराभिधानाया नैश्वयिक्या आत्मशक्तेः शुभोपयोगनाशकत्वं शुद्धोपयोगप्रापकत्वञ्च सिद्धम् ॥२/५८॥ सविकल्पक-निर्विकल्पकसमाधियत्नफलमाविष्करोति' इत्थमिति । सच्चिदानन्दमयात्मगुणे इत्थं यथाबलमनुयममुयमं च कुर्वन् दशानुगुणमुत्तममान्तरार्थे । चिन्मात्रनिर्भरनिवेशितपक्षपातः, प्रातर्युरत्नमिव दीप्तिमुपैति योगी ॥५९॥ निरुक्तरीत्या यथाबलं स्वीयाऽध्यात्मशक्त्यनुसारेण आन्तरार्थे આસ્તિક્ય આ પાંચેય સમ્યગ્દર્શનના ચિહ્ન છે. સમ્યગ્દર્શન આત્માના પરિણામ સ્વરૂપ હોવાના કારણે અતીન્દ્રિય છે. તેથી તેની હાજરીનો નિશ્ચય કરવા માટે શમ વગેરે ચિહ્નોની ઓળખાણ પરીક્ષકો માટે જરૂરી જણાય છે. જીવ જ્યારે ગ્રંથિભેદ કરે છે ત્યારે તેનું કારણ જે અપૂર્વકરણ હોય છે તે પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે. તે વખતે પ્રસ્તુત સામર્થ્યયોગ ન હોવાથી તેની બાદબાકી કરવા માટે ગ્રંથકારશ્રીએ દ્વિતીય અપૂર્વકરણનું ગ્રહણ કરેલ છે. જીવ જ્યારે ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે બીજું અપૂર્વકરણ પ્રાપ્ત કરે છે. અંતઃકોટાકોટી સાગરોપમ પ્રમાણ સાત કર્મોની સ્થિતિમાંથી તથાવિધ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ખલાસ થયા પછી દ્વિતીય અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. તે વખતે મોહનીય વગેરે ઘાતીકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનાર ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ વગેરે ગુણો પણ ચાલી જવાના છે તો પછી ઔદયિક એવા પ્રશસ્ત ગુણો કે અપ્રશસ્ત દોષોને દૂર થવાની તો શી વાત કરવી ? પરમોચ્ચ દશામાં આત્મા આ રીતે જે ક્ષમા વગેરે ગુણધર્મોનો ત્યાગ કરે છે, તે જ તાત્ત્વિક ધર્મસંન્યાસ કહેવાય છે. આ વાત યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં સ્પષ્ટ જણાવેલ છે. ત્યાર બાદ કેવલ ક્ષાયિક અર્થાત્ ઘનઘાતિકર્મના ક્ષયથી અભિવ્યક્ત થનારા ક્ષમા વગેરે સ્વાભાવિક ગુણો સદા માટે સ્થિર રહેશે. આ રીતે સામર્થ્યયોગ નામની નૈૠયિક આત્મશક્તિ શુભ ઉપયોગનો નાશ કરે છે અને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કરાવે છે. - એ સિદ્ધ થાય છે. (૨/૫૮) इत्थं = = = = = = સવિકલ્પક અને નિર્વિકલ્પક સમાધિના પ્રયત્નનું ફળ ગ્રંથકારથી પ્રગટ કરે છે. શ્લોકાર્થ :- આ રીતે પોતાની શક્તિ મુજબ આંતરિક ગુણોને વિશે પોતાની ભૂમિકાને અનુરૂપ ઉત્તમ એવા અનુદ્યમ અને ઉદ્યમને કરતા અને કેવલ ચૈતન્યમાં જ નિશ્ચિત રીતે પોતાનો પક્ષપાત સ્થાપિત કરનાર એવા યોગી, પ્રભાતના સૂર્યની જેમ પ્રકાશને પ્રાપ્ત કરે છે. (૨/૫૯) * શુભ અને શુદ્ધ બન્ને ઉપયોગ ઉપાદેય ટીકાર્થ :- ઉપરોક્ત રીતે પોતાની અધ્યાત્મશક્તિ મુજબ સચ્ચિદાનંદમય આત્માના ચૈતન્ય વગેરે આંતરિક ગુણોને વિશે પોતાને ઉચિત ભૂમિકાને અનુરૂપ એવો ઉત્તમ ઉદ્યમ અને અનુઘમ યોગી કરે છે. ઉદ્યમ =
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy