________________
આમ આ પુસ્તકના અભ્યાસથી બૃહત્સંગ્રહણિ અને સંગ્રહણિસૂત્રના પદાર્થો, ગાથાઓ અને શબ્દાર્થોનો સાંગોપાંગ બોધ થાય છે.
પદાર્થસંગ્રહની પહેલા આ પુસ્તકમાં આવતા વિષયોની વિસ્તૃત અનુક્રમણિકા આપી છે. તેથી વાચકવર્ગને કોઈપણ વિષય શોધવામાં ખૂબ સરળતા રહે છે.
ચતુર્વિધ સંઘે આ ગ્રન્થના અભ્યાસથી બૃહત્સંગ્રહણિના પદાર્થોને સમજવા, કંઠસ્થ કરવા, તેમનો પાઠ કરવો અને તેમની ઉપર ચિંતન કરવું. આમ કરવાથી મન શુભ ધ્યાનમાં રહેશે અને મુક્તિ નિકટ બનશે.
આ સંપૂર્ણ ગ્રન્થમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ નિરૂપણ થયું હોય તો તેની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું.
આ પુસ્તકના પઠન-પાઠન દ્વારા સહુ આત્મકલ્યાણ સાધી શીઘ મુક્તિગામી બને એ જ શુભાભિલાષા.
પંકજ સોસાયટી, અમદાવાદ ચૈત્ર વદ-૧૩, વિ.સં. ૨૦૬૬
- પ્રેમ-ભુવનભાનુ-પદ્ય-ચરણકિંકર આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ