SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બે પ્રકારના રાહુ ૩૩ નિષધપર્વતની ઉપરના કૂટોની ઉપરની પહોળાઈ ૨૫૦ યોજન છે. તેમની બન્ને બાજુ ૮-૮ યોજને તારા ચરે છે. તેથી એક તારાથી બીજા તારાનું અંતર = ૮ + ૨૫૦ + ૮ = ૨૬૬ યોજન. • મનુષ્યક્ષેત્રની બહાર બે ચન્દ્ર વચ્ચેનું અંતર સાધિક ૧ લાખ યોજન છે. આ વાત સંગ્રહણિસૂત્રમાં કહી છે. બૃહત્સંગ્રહણિમાં મનુષ્યક્ષેત્રની બહાર બે ચન્દ્ર વચ્ચેનું અંતર ૧ લાખ યોજન કહ્યું છે. મનુષ્યક્ષેત્રની બહાર બે સૂર્ય વચ્ચેનું અંતર સાધિક ૧ લાખ યોજન છે. આ વાત સંગ્રહણિસૂત્રમાં કહી છે. બૃહત્સંગ્રહણિમાં મનુષ્યક્ષેત્રની બહાર બે સૂર્ય વચ્ચેનું અંતર ૧ લાખ યોજન કર્યું છે. મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્ર-સૂર્ય વચ્ચેનું અંતર ૫૦,૦૦૦ યોજન છે. • મનુષ્યક્ષેત્રની બહાર સૂર્યથી અંતરિત ચન્દ્ર અને ચન્દ્રથી અંતરિત સૂર્ય હોય છે. તે ચન્દ્ર સુખલેશ્યાવાળા અને સૂર્ય મન્ટલેશ્યાવાળા હોય છે. રાહુ રાહુ બે પ્રકારના છે – (૧) પર્વરાહુ- તે ક્યારેક અચાનક આવીને પોતાના વિમાનથી ચન્દ્રવિમાનને કે સૂર્યવિમાનને ઢાંકે છે. ત્યારે લોકોમાં ગ્રહણ થયુ એમ કહેવાય છે. ચન્દ્રગ્રહણ જઘન્યથી ૬ મહિને અને ઉત્કૃષ્ટથી ૪૨ મહિને થાય છે. સૂર્યગ્રહણ જઘન્યથી ૬ મહિને અને ઉત્કૃષ્ટથી ૪૮ વર્ષે થાય છે. (૨) નિત્યરાહુ- તેનું વિમાન કાળુ છે. તે ચન્દ્રથી ૪ અંગુલના અંતરે ચાર ચરે છે. તે કૃષ્ણપક્ષમાં પોતાના પંદરમા ભાગથી દરરોજ ચન્દ્રની ૧-૧ કળાને ઢાંકે છે અને શુક્લપક્ષમાં દરરોજ ચન્દ્રની ૧
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy