SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ (૪) ઉચ્છ્વાસપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ઉછ્વાસ વર્ગણાના દલિકોને ગ્રહણ કરે, તેને ઉચ્છ્વાસરૂપે પરિણમાવે અને છોડે તે. (૫) ભાષાપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ભાષાવર્ગણાના દલિકોને ગ્રહણ કરે, તેને ભાષારૂપે પરિણમાવે અને છોડે તે. (૬) મન:પર્યાપ્તિ - જે શક્તિથી જીવ મનોવર્ગણાના દલિકોને ગ્રહણ કરે, તેને મનરૂપે પરિણમાવે અને છોડે તે. પ્રાણ બધી પર્યાપ્તિઓ ઉત્પત્તિના પ્રથમસમયે જ શરુ કરે. આહા૨પર્યાપ્તિ પ્રથમસમયે જ પૂરી થાય. ઔદારિક શરીરમાં શેષ પર્યાપ્તિઓ ક્રમશઃ અંતર્મુહૂર્તે - અંતર્મુહૂર્ત પૂર્ણ થાય. વૈક્રિય અને આહારક શરીરમાં શરી૨૫ર્યાતિ અંતર્મુહૂર્તે પૂર્ણ થાય. ત્યાર પછી શેષ પર્યાપ્તિઓ ક્રમશઃ સમયે સમયે પૂર્ણ થાય. બધી પર્યાપ્તિઓનો પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત જ છે. જીવો પર્યાપ્તિ ૧થી ૪ ૧થી ૫ એકેન્દ્રિય વિકલેન્દ્રિય, સંમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય ૧થી ૬ દેવ, નારકી, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામનારા જીવો પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરીને, ત્યારપછી અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધીને, ત્યારપછી અબાધાકાળરૂપ અંતર્મુહૂર્ત જીવીને પછી જ મરે છે. • પ્રાણ - જેમને ધારણ કરવાથી આત્મા પ્રાણી કહેવાય અને જેમનો વિયોગ થવાથી મરણ થાય તે પ્રાણ કહેવાય. તે દશ પ્રકારે છે- પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy