SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ જાણવા કરણ ૯૫ નરકાવાસ ઓછો થાય. સાતમી નરકમાં દિશામાં ૧-૧ નરકાવાસ છે અને વિદિશામાં નરકાવાસ નથી. નરકેન્દ્રક બધા ગોળ હોય છે. ત્યારપછી ક્રમશઃ ત્રિકોણ, ચોરસ, ગોળ એ ક્રમે નરકાવાસો હોય છે. પુષ્પાવકીર્ણ નરકાવાસ ભિન્ન ભિન્ન સંસ્થાનવાળા હોય છે. (જુઓ ચિત્ર નં. ૯) • દરેક પ્રતરમાં કુલ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ જાણવા કરણ - પ્રતરમાં કુલ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ (તે પ્રતરના ૧ દિશાના નરકાવાસ X ૮) – ૩ દા.ત. રત્નપ્રભાના પહેલા પ્રતરમાં કુલ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ = (૪૯ X ૮) – ૩ = ૩૮૯ • દરેક પૃથ્વીના કુલ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ જાણવા કરણ - (૧) પહેલા પ્રતરના નરકાવાસ = મુખ (૨) અંતિમ પ્રતરના નરકાવાસ = ભૂમિ (૩) (૧) + (૨) (૪) (૩) (૫) (ૐ) x પ્રતરતે પૃથ્વીના કુલ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ દા.ત. રત્નપ્રભા પૃથ્વીના કુલ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ જાણવા છેમુખ = ૩૮૯ ભૂમિ = ૨૯૩ (૩) ૩૮૯ + ૨૯૩ = ૬૮૨ (૪) ૬૮૨ = ૩૪૧ ૩ૐ૧ X ૧૩ = ૪,૪૩૩ રત્નપ્રભાના કુલ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ = ૪,૪૩૩ તે તે નરકના કુલ નરકાવાસમાંથી આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ બાદ કરતા તે નરકના પુષ્પાવકીર્ણ નરકાવાસ આવે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy