SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન કૃતિમાન પુરૂષાર્થક કર્તાકારક પુરુષ: પદને વર્તમાનકાલીન ગમનાર્થક ઉર્જીત ક્રિયાપદની આકાંક્ષા છે. આમ જુદા જુદા અર્થવાળા દરેકને પરસ્પર આકાંક્ષા છે. તે આકાંક્ષા વશે જુદા જુદા અર્થવાળા તેઓ એક-બીજા સાથે જોડાણ રૂપ વ્યાપેક્ષા સામર્થ્યને પામીને એક અખંડ વર્તમાન નામનાનુ નિવૃતિના નિરૂપતસ્વત્વવિશિષ્ટત્વવાન પુરુષ:' આવા વાક્યાર્થબોધના જનક બને છે. આ જ વાતને સહેલાઇષ્ટાંત દ્વારા સરળતાથી સમજીએ. ‘પુરુષ: 'છવિ' સ્થળે કેવળ પુરુષ: પદ ગતિમાન પુરૂષ આ અર્થને ન જણાવી શકે. તેમજ કેવળ રતિ ક્રિયાપદ પણ તે અર્થને ન જણાવી શકે. પરંતુ આકાંક્ષા વશ જ્યારે તેઓ એકબીજા સાથે જોડાણ રૂપ વ્યાપેક્ષા સામર્થ્યને પામે ત્યારે તે બન્ને મળીને ગતિમાન પુરૂષ અર્થને જણાવી શકે. જ્યાં વ્યાપેક્ષા સામર્થ્ય ન હોય ત્યાં અખંડ વાક્યર્થનો બોધન થઇ શકે. જેમકે “અશ્વ પર, વોરં તાતિ' અહીં ભિન્ન વાક્યસ્થ વશ્ય ક્રિયાપદ અને જોરપદ વચ્ચે આકાંક્ષાની ગેરહાજરીને લઈને પરસ્પર જોડાણ રૂપ વ્યપેક્ષા સામર્થ્ય પ્રાપ્ત થતું નથી, તેથી ‘ચોરને જો આવા અખંડ વાક્ષાર્થનો બોધ થતો નથી. 118) વ્યવસ્થિતવિમાષા – શબ્દોના અનેક અર્થો થતા હોય છે. તે અનેક અર્થો પૈકી અમુક જ અર્થમાં વર્તતા વિવક્ષિત શબ્દના પ્રયોગની સિદ્ધયર્થે જો સૂત્રમાં વિકલ્પાર્થક વા પદ મૂકાય તો તેને વ્યવસ્થિતવિભાષા કહેવાય. જેમકે સર્ષ વિગેરે શબ્દો કોકની સંજ્ઞામાં (સંજ્ઞા રૂપ અર્થમાં) પણ વર્તતા હોય છે અને સંજ્ઞા સિવાયના અર્થમાં પણ વર્તતા હોય છે. તો જ્યારે તેઓ સંજ્ઞા સિવાયના અર્થમાં વર્તતા હોય ત્યારે જ સૂત્રકારશ્રીને નેમાર્વપ્રથમ ૨.૪.૦” સૂત્રથી તેમને લાગેલા પ્રત્યયનો આદેશ કરવો ઈષ્ટ છે અને આ વાતને જણાવવા તેમણે નાર્વપ્રથમ ૨.૪.૨૦ સૂત્રમાં ના પદ મૂક્યું છે. તેથી તે વ્યવસ્થિતવિભાષાર્થક છે. એ જ રીતે દ્વીધા. ૪.ર.૭૬' સૂત્રથી 8 વિગેરે ધાતુને લાગેલા ત (f) પ્રયનો ને આદેશ કરવાનો છે. ત્યાં શ્ર ધાતુ જ્યારે ઉત્તમર્ણ અને અધમણ અર્થમાં વર્તતો હોય ત્યારે જ તેને લાગેલા ત નો આદેશ થઇ જ શબ્દ બને, બાકી અન્ય અર્થમાં સત શબ્દ બને આ રીતના અર્થને લઈને વિકલ્પની વ્યવસ્થા જણાવવા તે સૂત્રમાં વ્યવસ્થિત વિભાષાર્થક વા શબ્દ મૂક્યો છે. 119) વ્યક્તિ – વ્યાપ્તિએટલે પવિષsfપ પ્રાપ્તિ. અર્થાત્ બીજા શબ્દોમાં કહેવું હોય તો “વિવક્ષિત સૂત્રના જે કોઈ ઉદ્દેશ્યો બનતા હોય તે સકલ ઉદ્દેશ્યોને આશ્રયીને તે સૂત્રના પ્રવૃત્તિની પ્રાપ્તિ થવી તેને કહેવાય વ્યાપ્તિ. આ વ્યાપ્તિને જણાવવા સૂત્રકારશ્રી સૂત્રમાં સૂચક રૂપે બહુવચનના પ્રયોગો કરતા હોય છે. જેમકે “સ્વરેઝઃ ૨.૩.૨૦' સૂત્રમાં વ્યાપ્તિને સૂચવવા બહુવચન કર્યું છે. હવે તે સૂત્રના ઉદ્દેશ્ય બને છે ‘સ્વરથી અવ્યવહિત પરમાં રહેલ '. આવા છૂપદાનરૂપે પણ સંભવે છે અને અપદાન્તરૂપે પણ સંભવે છે. તો વ્યાપ્તિના કારણે સ્વરથી અવ્યવહિત પરમાં રહેલા પદાસ્ત અને અપદાન્ત બન્ને પ્રકારના છું ને ઉદ્દેશીને તે સૂત્રની પ્રવૃત્તિ થશે. અહીં વ્યાપ્તિના કારણે લાભ એ થયો કે આમ તો ‘સ્વરેચ્છ: ૨.૩.૨૦'ના પૂર્વસૂત્રોમાં પલાન્ત શબ્દની અનુવૃત્તિ આવતી હતી અને તે અનુવૃત્તિ ‘સ્વચ્છ: ૨.રૂ.૨૦' સૂત્રમાં પણ પ્રાપ્ત હતી. જો એ અનુવૃત્તિ “સ્વચ્છ: ૨.રૂ.૩૦' સૂત્રમાં આવત તો સ્વરથી પરમાં રહેલા માત્ર પદાન્ત છું ને ઉદ્દેશીને જ તે સૂત્રની પ્રવૃત્તિ થાત. પણ સકલ ઉદ્દેશ્યોને આશ્રયીને
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy