SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૨૨ ૩૯૩ સૂત્રાર્થ:- સ્ત્રીલિંગમાં વર્તતા શું ધાતુથી પરમાં રહેલા તુન્ નો કોઇપણ નિમિત્તની અપેક્ષા વિના તૃ આદેશ થાય છે. વિવરણ:- (1) આ સૂત્રમાં પુટ ૨.૪.૬૮' સૂત્રથી ટિ ની અનુવૃત્તિ નહીં આવે. શંકા - કેમ નહીં આવે? કેમકે આ સૂત્રમાં ‘અમુક પ્રત્યયો પરમાં વર્તતા” આ પ્રમાણે કોઈ નિમિત્ત વિશેષનું ઉપાદાન નથી કર્યું, તેથી પુટિની અનુવૃત્તિ આવવી જોઇએ. સમાધાન - આ સૂત્રની પ્રવૃત્તિ સ્ત્રીલિંગના વિષયમાં થાય છે. તેથી જો આ સૂત્રમાં પણ પુટિની અનુવૃત્તિ લેવી ઇષ્ટ હોત તો આ સૂત્ર જૂદું રચવાનું કોઇ કારણ જ નથી. કેમકે 'ઝુશસ્તુનસ્તૃ પુસિ સ્ત્રિય ' આમ ભેગું સૂત્ર રચવામાં આવે તો પણ તે સૂત્રમાં પુટિની અનુવૃત્તિ આવતી હોવાથી સ્ત્રીલિંગના વિષયમાં પુ પ્રત્યયો પરમાં વર્તતા ગુર થી પરમાં રહેલા તુન્ નો તૃઆદેશ થઇ શકત. છતાં જુદી રચના કરી છે તેથી સમજી શકાય છે કે આ સૂત્રમાં પુટિની અનુવૃત્તિ નહીં આવે. (શંકાકાર - ભલા, પુટિની અનુવૃત્તિ આ સૂત્રમાં ઈટ હોય તો પણ આ સૂત્રને ‘ સ્તુનો .૪.૬?' સૂત્રની ભેગું ન રચી શકાય. કેમકે જે ભેગું રચીએ તો છુટ્ટાં બન્ને સૂત્રોમાં જેટલા શબ્દો છે તેના કરતા ભેગા સૂત્રમાં એક જ શબ્દ વધવાથી માત્રા ગૌરવ થાય છે. માટે આ સૂત્ર છૂટું જ બરાબર છે અને પુટિ ની અનુવૃત્તિ આવવી જ જોઈએ. સમાધાનકારઃ- માત્રાગૌરવની વાતને લઈને શું કામ તમે કૂદે રાખો છો ? તેને જ જે ટાળવું હોત તો અમે ભેગું સૂત્રસ્તુતૃ ૬-સ્ત્રિયો.’ આ પ્રમાણે પણ બનાવી શકત. આમાં ર શબ્દ તો ઉડી જાય છે, સાથે સાથે છૂટાં બન્ને સૂત્રો કરતાં પણ માત્રાલાઘવ કરી શકાય છે. છતાં અમે “પુટિ ની અનુવૃત્તિ ઈટ હોત તો ‘ સ્તુનસ્તૃ પુસિ સ્ત્રિયાં .૪.૬?’ આમ જ શબ્દ સહિત ભેગું સૂત્ર રચત” આમ જે વાત કરી તેની પાછળ અમારો કોક આશય છે. તો સૂત્રકારે છૂટાં બન્ને સૂત્રો બનાવ્યા છે તેથી સમજી શકાય છે કે આ સૂત્રમાં પુરની અનુવૃત્તિ નહીં આવે. શંકકાર :- " શબ્દ સહિત ભેગું સૂત્ર બનાવત” આમ કહેવા પાછળ તમારો કયો આશય છે ? જરા સ્પષ્ટ કરો ને? સમાધાનકાર:- “આ સૂત્રમાં પુટિની અનુવૃત્તિ લેવી ઈટ હોત તો સૂત્રકાર ‘કુરીસ્તન |-ન્દ્રિયો:' આમ ભેગું સૂત્ર બનાવત” આમ કહેવામાં માત્રાલાઘવ અવશ્ય થાય. પરંતુ તેમ કરવાથી આ પછીના પાકના ‘ત્રિવતુર૦ ૨૨.?' સૂત્રમાં માત્ર સ્ત્રિયા ની અનુવૃત્તિ જે ચલાવવી છે તે ન ચાલી શકે. કેમકે ‘ડું-ન્દ્રિયો: ' આમ સમાસ કર્યો તેથી તેની અનુવૃત્તિ પણ ભેગી જ ચાલે. તો ત્રિવતુર૦ ૨.?.?' સૂત્રમાં કેવળ સ્ત્રિયાની અનુવૃત્તિ
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy