SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પાણિનિ ઋષિની એક ક્ષતિ એ છે કે તેમણે પોતાના વ્યાકરણમાં પૂર્વના ઐન્દ્રાદિ વ્યાકરણોમાં તેમજ અનેક શાસ્ત્રોમાં વપરાયેલી પ્રસિદ્ધ એવી સ્વર, વ્યંજન, ઘોષ, અઘોષ, અંતસ્થા વિગેરે સંજ્ઞાઓનો વપરાશ નથી કર્યો, પરંતુ લાઘવ^) કરવાની ભાવનાથી અર્, હત્, હણ્, વર્, યન્ વિગેરે પોતાની મૌલિક સંજ્ઞાઓનો વપરાશ કર્યો છે કે જે દૂષિત છે. અર્ આદિ સંજ્ઞાઓ કરવામાં દોષ શી રીતે આવે છે ? તે જાણતા પહેલાં ટૂંકમાં આપણે લાઘવ–ગૌરવની વ્યવસ્થા સમજી લઇએ. વ્યાકરણ ભણતી વખતે આ ન્યાય તમારા સાંભળવામાં ઘણીવાર આવ્યો હશે કે ‘અર્ધમાત્રાનાધવમબુત્સવાય મન્યને વેવારા:' વ્યાકરણકારો પોતાના વ્યાકરણનું કદ અડધી માત્રા જેટલું પણ જો ઘટાડી શકે તો એ વાત તેમને માટે પુત્રજન્મોત્સવ બરાબર છે. આનું કારણ એ છે કે વ્યાકરણ એ અતિ લાંબુ શાસ્ત્ર છે. માટે તેને ભણવા વિદ્યાર્થીએ ખૂબ પરિશ્રમ ઉઠાવવો પડે છે. જેમ પગપાળા લાંબો પ્રવાસ ખેડનારને શરૂઆતમાં તો મઝા આવે, પણ છેલ્લે ઠુંસ નીકળી જતી હોય છે, તેમ વ્યાકરણમાં પણ છેલ્લે જ્યારે તષ્ઠિત પ્રકરણ ચાલતું હોય ત્યારે અભ્યાસુને નાકે દમ આવી જતો હોય છે. માટે અભ્યાસુઓ અધ્યયન માટે તેવું જ વ્યાકરણ પસંદ કરવાના જે પરિપૂર્ણ બોધ કરાવે અને તેનું કદ નાનું હોય. આથી હરકોઇ વ્યાકરણકાર પોતાના વ્યાકરણની ઉપાદેયતા વધારવા તેને શક્ય પ્રયત્ને લઘુ બનાવવા ઇચ્છે છે, આમ વ્યાકરણકારોમાં લાઘવનું ખૂબ મહત્ત્વ છે અને ગૌરવ દોષ રૂપ ગણાય છે. દર્શનશાસ્ત્રોમાં લાધવ-ગૌરવ ત્રણ પ્રકારના બતાવ્યા છે : ઉપસ્થિતિકૃત, સંબંધકૃત અને શરીરકૃત. જ્યારે શબ્દશાસ્ત્રમાં = વ્યાકરણમાં બે પ્રકારના લાઘવ-ગૌરવ માનવામાં આવ્યા છે; એક માત્રાકૃત અને બીજું પ્રક્રિયાકૃત. અહીં કોઇ એમ કહે કે “પ્રક્રિયાકૃત અને માત્રામૃત લાઘવ-ગૌરવ વ્યાકરણશાસ્ત્રમાં જ જોવા મળે છે અને દર્શનશાસ્ત્રોમાં નથી જોવા મળતું, એનું શું કારણ ?’’ તો એનું કારણ એ કે વ્યાકરણમાં એકની એક સંસ્કૃત ભાષાનું માળખું ગોઠવવાનું હોય છે. તેથી તેમાં જે વ્યાકરણકાર ઓછામાં ઓછાં શબ્દોવાળું અને અલ્પ પ્રક્રિયામાંથી પસાર થવા છતાં સંસ્કૃત ભાષાના તમામ રૂપોની સચોટ સિદ્ધિ કરી આપે એવું માળખું ગોઠવે તેનું વ્યાકરણ શિરમોર ગણાય છે. આ કારણસર વ્યાકરણમાં માત્રાકૃત અને પ્રક્રિયાકૃત લાઘવ-ગૌરવની વિચારણા કરવામાં આવે છે. જ્યારે દર્શનશાસ્ત્રોમાં એકના એક જ પદાર્થોનું માળખું ગોઠવવાનું હોય છે એવું નથી. દરેક દર્શનકારો પોતપોતાના હિસાબે ઓછાં-વત્તા પદાર્થો માનતા હોય છે. તેમાં જે દર્શનકાર ઓછા પદાર્થો માનતા હોય તેમને પદાર્થોની રજૂઆત ટૂંકી હોવાથી ઓછા શબ્દોમાં કામ પતી જાય અને જે દર્શનકાર વધુ પદાર્થો માનતા હોય તેમને પદાર્થોની સમજાવટ લાંબી રહેવાથી વધુ શબ્દો વાપરવા પડે છે. માટે દર્શનશાસ્ત્રોમાં શબ્દોની માત્રા અને પ્રક્રિયાને લઇને લાઘવ-ગૌરવની વિચારણા કરવી શક્ય ન બને. ત્યાં તો જે દર્શનકાર પોતાના પદાર્થોને લઇને સચોટ વિશ્વવ્યવસ્થા બતાવે તેનું દર્શન શિરમોર ગણાય છે. પછી જો ઓછા પદાર્થોને લઇને સચોટ વિશ્વવ્યવસ્થા બતાવી શકાતી હોય તો એજ ગ્રાહ્ય બને છે, નહીં તો પછી વધારે પદાર્થોવાળી સચોટ વ્યવસ્થા સ્વીકારવી પડે છે. (A) પ્રત્યાહારો નાધવેન શાસ્ત્રપ્રવૃર્ત્યર્થ: (મ. માધ્ય) XX
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy