SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૪૮ ૧૮૭ વિવરણ:- (1) શંકા - “તીર્થો નાખ્યું. ૨.૪.૪૭’ આ પૂર્વસૂત્રથી સમાનસ્વરનો નિત્ય દીર્ઘ આદેશ થાય છે. તેથી આ સૂત્ર ધનુર્વા' આવું ન બનાવતા વા પદ રહિત 1:' આટલું જ બનાવીએ તો પણ આ સૂત્રની પૂર્વસૂત્ર કરતા પૃથર્ રચનાના આધારે ખબર પડી જાય કે “નૃ શબ્દના સમાનસ્વરનો વિકલ્પ દીર્ઘ આદેશ કરવો હશે.' તો શા માટે સૂત્રમાં વિકલ્પાર્થે વા પદ મૂકો છો? સમાધાન - જો આ સૂત્ર વા પદ વિનાનું બનાવીએ તો આ સૂત્રની પૃથર્ રચનાના આધારે જેમ તમારા કહ્યા મુજબનો અર્થ પ્રતીત થાય, તેમ ' શબ્દના સમાનસ્વરના દીર્ઘ આદેશનો નિષેધ કરવો હશે, માટે આ સૂત્ર પૂર્વસૂત્ર કરતા જુદું બનાવ્યું હશે” આવો અનિષ્ટ અર્થ પ્રતીત થવાની પણ સંભાવના રહે છે. માટે અનિષ્ટ અર્થની પ્રતીતિને વારવા સૂત્રમાં વા પદ મૂક્યું છે. શંકા - તમે કહો છો તેવો અનિષ્ટ અર્થ કોઈને પ્રતીત ન થાય. કેમકે જે નૃ શબ્દના સમાનસ્વરના દીર્ધ આદેશનો નિષેધ જ કરવો હોય તો તેને માટે આ સૂત્રકોઈ જુદું ન બનાવે, પણ પૂર્વસૂત્રના અતિકૃવતકૃ9:' અંશની અંદર જ કૃશબ્દનો પણ સમાવેશ કરી દે. જેથી તિ આદિ શબ્દોના સમાનસ્વરના દીર્ઘ આદેશના નિષેધ ભેગો → શબ્દના સમાનસ્વરના દીર્ઘ આદેશનો પણ નિષેધ થઇ જાય. છતાં અમે તેમ ન કરતા આ સૂત્ર વા પદ રહિત 1:' આમ જુદું બનાવવાનું કહીએ છીએ, તેથી – શબ્દના સમાનસ્વરની વિકલ્પ દીર્ઘ આદેશ થવાની વાત જ પ્રતીત થશે. તેથી સૂત્રમાં વા પદ નિરર્થક છે. સમાધાન - બરાબર છે. પરંતુ સૂત્રમાં વા પદ ન મૂકીએ તો પૂર્વસૂત્ર કરતા આ સૂત્રની પૃથર્ રચના નિયમ માટે છે આવો અર્થ કોઈ કરી બેસે. અર્થાત્ ના પર છતાં પૂર્વસૂત્રથી જે તિરૃઆદિ નામો સિવાયના અન્ય કોઇપણ નામના સમાનસ્વરનો દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ હતી તે પૈકીના ત્રકારાન્ત નામોમાં માત્ર કૃશબ્દના જ સમાનસ્વરનો દીર્ઘ આદેશ થાય છે.” આવો પૂર્વસૂત્ર કરતા પૃથ રચાયેલા આ સૂત્ર દ્વારા કોઇ નિયમ (અર્થસંકોચ) કરી બેસે. આવો નિયમ કોઈ ન કરે તે માટે આ સૂત્રમાં વા પદ મૂકવું જરૂરી છે. શંકા - આવો નિયમ કોઈ ન કરે. કેમકે નિયમ કરવાથી ત્રદ કારાન્તનામોમાં કૃ શબ્દ સિવાયના અન્ય 2 કારાન્ત નામોના સમાનસ્વરના દીર્ઘ આદેશનો જે નિષેધ થાય તેમાં ત્રદ કારાન્ત તિકૃ-તનામોના સમાનસ્વરના દીર્ઘ આદેશનો પણ ભેગો નિષેધ થઈ જાય અને તેથી વીર્થો નાખ્ય૦ ૨.૪.૪૭' આ પૂર્વસૂત્રમાં 'મતિકૃવતકૃષ: પદ મૂકી તિ–વત નામોના સમાનસ્વરના દીર્ઘ આદેશનો પ્રતિષેધ કરવાનો ન રહે. છતાં પ્રતિષેધ કર્યો છે તેથી જણાય છે કે વા પદ રહિત આ સૂત્રથી નિયમ નથી કરવો પણ નૃ શબ્દના સમાન સ્વરના દીર્ઘ આદેશનો વિકલ્પ કરવો છે. તેથી સૂત્રમાં વી પદ નિરર્થક છે. સમાધાન - “વા પદ રહિત કેવળ ‘:' આવું જ સૂત્ર બનાવવું જોઈએ. કેમકે (a)5 શબ્દમાં વિહિત દીર્ઘવિધિમાં જો નિષેધ ઇષ્ટ હોત તો પૂર્વસૂત્રમાં ‘અતિવૃતસૃષ:' ની સાથે – શબ્દનું પણ ગ્રહણ કરી લેત.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy