SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૭ ૫૧ માટે વાહીક પદાર્થનો વાચક જ શબ્દ ગૌણ ગણાય છે અને વિવક્ષિત શબ્દના અનેક અર્થો પૈકી જે અર્થ મુખની જેમ પ્રધાન હોય અર્થાત્ શરીરના બધા અંગોમાં જેમ મુખ સૌથી પ્રધાન (મુખ્ય) અંગ ગણાય છે, તેમ જે અર્થ પદાર્થાન્તરની પ્રતીતિને નિરપેક્ષપણે પ્રતીત થતો હોય તાદશાર્થના વાચક શબ્દને અમે મુખ્ય કહીશું. જેમકે : Tચ્છતિ સ્થળે જે શબ્દવાચ્ય ગાય” અર્થની પ્રતીતિ સીધેસીધી થઈ જાય છે. અર્થાત્ તેની પ્રતીતિ માટે બીજા કોઇ પદાર્થાન્તરની અપેક્ષા નથી રહેતી, માટે તાદશાર્થનો વાચક જો શબ્દ મુખ્ય ગણાય. (આગળ : વારી: સ્થળે જો શબ્દ દ્વારા વાહીક પદાર્થની પ્રતીતિ આરોપને લઈને થતી હોવાથી ત્યાં “ગાય” રૂપ પદાર્થાન્તરની અપેક્ષા રહેતી હતી. અર્થાત્ જે શબ્દ દ્વારા પ્રથમ “ગાય” પદાર્થની ઉપસ્થિતિ થયા પછી તેના જડતાદિ ગુણોના સદશ્યને લઈને વાહીકમાં જીત્વ' જાતિનો આરોપ થયા બાદ જો શબ્દ દ્વારા વાહક પદાર્થ પ્રતીત થતો હતો.) હવે ‘વં શબ્દચાડશસં' ન્યાય સ્થળે શબ્દનાં સ્વરૂપ (આકાર)ની સાથે સાથે અર્થને ગ્રહણ કરવાનું પણ જણાવ્યું હોવાથી વ્યાકરણશાસ્ત્ર નિર્દિષ્ટ કોઇ પણ કાર્ય અર્થવાન શબ્દને લઇને થાય છે. આ વાતને જરા વિસ્તારથી સમજીએ. “ રૂપં શ ૦' ન્યાયમાં સ્વA) શબ્દ ‘આત્મીય (પોતાનું)' અર્થને જણાવે છે. અને રૂપ શબ્દ “શબ્દનું સ્વરૂપ (શબ્દનો આકાર)” અર્થને જણાવે છે. ન્યાયમાં વ્યારો અને ગ્રામ્ પદ અધ્યાહત છે, આથી ન્યાયનો અન્વય આ પ્રમાણે થશે. 'ચારો શસ્ય સ્ત્ર = માત્મીયું રૂપ = સ્વરૂ પ્રાઈ, અશબ્દસંજ્ઞા (= વરિ તે શક્રેન સંજ્ઞા તા ન સાત) ' અહીં શબ્દનું પોતાનું શું હોય? અર્થ જ હોય. આથી ન્યાસમાં ‘શી ર્વ = અર્થ' આવો અર્થ પ્રાપ્ત થશે. આખા ન્યાયનો અર્થ આવો થશે કે ‘વ્યાકરણશાસ્ત્રમાં જો શબ્દ દ્વારા કોઇની સંજ્ઞા ન કરાઇ હોય તો શબ્દના અર્થ અને સ્વરૂપ (આકાર)નું ગ્રહણ કરવું. અર્થાત્ ‘વ્યાકરણસૂત્ર નિર્દિષ્ટ શબ્દ દ્વારા અર્થવાનું સમાનાકારક શબ્દનું ગ્રહણ કરવું.’ આથી “સ્વરૂપ શત્રચ૦’ ન્યાયથી જુદા જુદા અર્થવાળા હોવા છતાં (A) ‘માત્મા-ગાત્મીય-જ્ઞાતિ-ધનાર્થવૃત્તિ: સ્વા ' (૧.૪.૭ વૃ:વૃત્તિ) ‘ગ્નિ ‘વં રૂપ પ.ફૂ. ૨.૬૮ રૂત્તિ શાસ્ત્ર નાડત્મીયેવાવિના મર્યો પૃદ્યતે .... (ર. શે. ૨૪)' (B) અહીં એવી શંકા થશે કે “ન્યાયમાં શબ્દના અર્થ’ અને ‘સ્વરૂપ” બન્નેનું સરખું પ્રાધાન્ય છે. તો સમાનાકારક શબ્દવિશિષ્ટ અર્થનું ગ્રહણ કરવાની વાત ન કરતા અર્થવાનું સમાનાકારક શબ્દને ગ્રહણ કરવાની વાત કેમ કરી?તો આનું સમાધાન આ પ્રમાણે સમજવું કે કોઈ પણ શબ્દ સ્થળે બે વસ્તુ હોય છે. એક શબ્દ અને બીજો તેનો અર્થ. તેમાં લોકવ્યવહારમાં અર્થનું પ્રાધાન્ય હોય છે. જ્યારે વ્યાકરણશાસ્ત્રમાં શબ્દનું પ્રાધાન્ય હોય છે. જ્યાં અર્થનું પ્રાધાન્ય હોય ત્યાં શબ્દ વિશેષણ બને અને અર્થ વિશેષ્ય બને, અને જ્યાં શબ્દનું પ્રાધાન્ય હોય ત્યાં અર્થ વિશેષણ બને અને શબ્દ વિશેષ્ય બને. લોકવ્યવહારમાં અને વ્યાકરણશાસ્ત્રમાં અનુક્રમે અર્થનું અને શબ્દનું પ્રાધાન્ય આ પ્રમાણે સમજવું - જેમ કે કોઈ વ્યક્તિ ઘટમ્ માનવ કહે તો પણ ઘડો લવાય છે, અને કુન્ ગાન કહે તો પણ ઘડો જ લવાય છે. અર્થાત્ લોકવ્યવહારમાં ઘડા માટે ક્યો શબ્દ વપરાયો છે. તેનાથી મતલબ નથી હોતો પણ ઘટપદાર્થ સાથે મતલબ હોય છે. માટે ત્યાં અર્થ (પદાર્થ) પ્રધાન બને છે. જ્યારે વ્યાકરણશાસ્ત્રમાં ‘ન્યનેય ૬..૨૭' સૂત્રમાં નિ શબ્દનું ગ્રહણ કર્યું છે. તો ત્યાં અર્થની પ્રધાનતાએ “આગ” અર્થક વરિત્ર, શિવ વિગેરે અનિ શબ્દના પર્યાયવાચી ગમે તે શબ્દનું ગ્રહણ નથી થતું. પણ “આગ” કે એ સિવાયના કોઇપણ અર્થવાળા ન આકારક નિ શબ્દનું જ ગ્રહણ થાય છે. માટે વ્યાકરણશાસ્ત્રમાં શબ્દનું પ્રાધાન્ય હોય છે. આમ હાલ વ્યાકરણશાસ્ત્રીય ચર્ચાના સંદર્ભમાં આન્યાયનો વપરાશ હોવાથી શબ્દના પ્રાધાન્યને લઇને અર્થવાન સમાનાકારક શબ્દને ગ્રહણ કરવાની વાત કરી છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy