SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નૃતજ્ઞ વિગેરે અસાધુ (દૂષિત) પ્રયોગો ‘પ્રકૃતિ’ હોવા છતાં ‘શાસ્ત્રીય પ્રકૃતિ’ નથી, કારણ કે વ્યાકરણ શાસ્ત્રમાં તેનો ક્યાંય પ્રયોગ કરાતો નથી. અપશબ્દોને સિદ્ધ કરવા એ કાંઇ શાસ્ત્રીય કાર્ય નથી અને વ્યાકરણશાસ્ત્ર મુજબ તેમના પ્રયોગ સિદ્ધ કરવા એ પણ શક્ય નથી. કેમકે વ્યાકરણ સાધુ શબ્દોના સંસ્કાર (સિદ્ધિ) માટે જ આરંભાયું છે. તેથી સ્તૃત વિગેરે અસાધુ શબ્દો શાસ્ત્રીય પ્રકૃતિ ન હોવાથી તેનો અતિદેશ અનુકરણમાં કરાતો નથી. આથી સ્તૃત વિગેરે પ્રયોગો દૂષિત હોવા છતાં તેનું અનુકરણ દૂષિત નહીં પણ અદૂષિત જ મનાશે. ટૂંકમાં અનુકાર્યનું અસાધુત્વ અનુકરણમાં સંક્રાન્ત નહીં થાય. ૬૨ આમ ભૃત વિગેરે અનુકરણ અદૂષિત પ્રયોગ હોવાથી તેના ઉચ્ચારણ માટે વર્ણસમાસ્નાયમાં તૢ કારોપદેશ જરૂરી છે. તથા ‘વર્ષાવેરસ્વ સ્વરે યવતમ્ ૧.૨.૨૬’ સ્થળે ‘યથાસક્મનુવેશ સમાનામ્^)’ન્યાયથી યથાસંખ્ય અન્વય કરવા માટે પણ સૃ માનવો જરૂરી છે. ભૃ વર્ણને માનીએ જ નહીં, તો ‘સ્થાની’ રૂ, ૩ અને ૠ એમ ત્રણ જ થાય અને તેના ‘આદેશ' ય્, વ્, ર્ અને ત્ એમ ચાર થવાથી વિષમતા થાય, તેથી યથાસંખ્ય અન્વય ન થાય. આમ ઉપર બતાવેલા પ્રયોજનો વશ [ કારોપદેશ જરૂરી છે. આ જ પ્રમાણે દીર્ઘ ૢ નું પ્રયોજન સ્વયં વિચારવું. ભૃ કારોપદેશ અંગેની અતિવિશદ ચર્ચા માટે મહર્ષિ પતંજલિકૃત વ્યાવરણ મહામાણ્ય નું ‘ઋત્વ (પ્રત્યા. સૂત્ર-૨)' જુઓ. (7) ઞ આ ર્ ર્ફે વિગેરે વર્ણોમાં કાળ અને શબ્દોને લઇને વ્યવધાન હોય તો તેમની વચ્ચે ભેદ (જુદાઇ) જોવામાં આવે છે. જેમકે ‘ઞ રૂ ૩ વર્ણસ્યાન્ત ૧.૨.૪૬' સૂત્રમાં ૬ ૬ ૩ સ્થળે અસંહિતાB) હોવાથી (= વિરામ લેવાતો હોવાથી) અ રૂ ૩ વર્ણો વચ્ચે કાળ વ્યવધાયક બનતા ભેદ પડે છે. તેવી રીતે વૃતિ શબ્દ સ્થળે દ અને રૂ સ્વર વચ્ચે ત્ શબ્દ વ્યવધાયક બને છે, માટે તેમની વચ્ચે ભેદ પડે છે. પરંતુ જ્યારે એક જ વર્ણ ઉચ્ચારવામાં આવે ત્યારે વ્યવધાન જોવામાં આવતું નથી. જેમકે એકલો મૈં બોલવામાં આવે ત્યારે વિરામ લેવાનો ન રહેતા તેમજ વચ્ચે કોઇ શબ્દ ન રહેતા કાળ કે શબ્દ વ્યવધાયક નથી બની શકતા. છતાં ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, સાનુનાસિક, નિરનુનાસિક વિગેરે ગુણના ભેદને લઇને એકલા પણ જ્ઞ કારમાં ભેદ જોવામાં આવે છે. તેથી કાળ, શબ્દનું વ્યવધાન તેમજ ઉદાત્ત આદિ ગુણના ભેદને લઇને અ કાર વિગેરે વર્ણો અનેકતાને પામે છે. જેમકે ૧૪ પ્રમ્ સ્થળે ૧૪ અને પ્રમ્ પદોના ઉચ્ચારણ વચ્ચે વિરામ લેવાયો હોવાથી સંધિ નથી થઇ. તેથી ′′ ના અંત્ય ઞ અને અમ્ ના આદ્ય ઞ વચ્ચે કાળ વ્યવધાયક બનતા સંધિ ન થવાથી બન્નેમાં ભેદ પડે છે. તેવી (A) સંખ્યાથી સમાન હોય અને સમાન વચનથી નિર્દિષ્ટ હોય તો પૂર્વપદનો ઉત્તરપદની સાથે યથાસંખ્ય (અનુક્રમે) સંબંધ થાય છે. (B) સંહિતા = વિરામાભાવ. તેથી અસંહિતા = વિરામાભાવનો અભાવ અર્થાત્ વિરામ કહેવાય.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy