SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું સ્થળે મર્યાદારૂપ સ્થળને ક્ષેત્રના અવયવરૂપે પણ બતાવવું શક્ય છે અને ક્ષેત્રના સમીપવર્તીરૂપે બતાવવું પણ શક્ય છે. ત્યાં અન્ત શબ્દને અવયવવાચી રૂપે લેવામાં આવે છે. પરંતુ ‘નદ્યત્ત્ત ક્ષેત્રમ્’ સ્થળે નદીને દેવદત્તના ક્ષેત્રના અવયવરૂપે બતાવવી શક્ય નથી. માટે આવા સ્થળે અન્ત શબ્દને અવયવાર્થક લેવામાં આવતો નથી. કેટલાક એમ કહે છે કે ‘સર્વત્ર અન્ત શબ્દ અવયવવાચી જ હોય છે.’ ઉપર કહ્યા પ્રમાણે અવયવવાચી અને સામીપ્યવાચી એમ ઉભયરૂપે સંભવતો નથી અને જ્યાં અન્ત શબ્દ અવયવવાચી રૂપે સંભવવો શક્ય ન હોય તેવા સ્થળે તે સામીપ્યવાચી જ હોય. જેમકે ‘નદ્યત્ત્ત ક્ષેત્રમ્' સ્થળે ‘નદી’ ક્ષેત્રના અવયવરૂપે સંભવવી શક્ય જ નથી, તેથી અન્ત શબ્દ સામીપ્યવાચી જ બને. બાકી 'મર્યાવાં ક્ષેત્રમ્' જેવા સ્થળે તે સામીપ્યવાચી રૂપે સંભવી જ ન શકે. તો બીજા કેટલાક એમ કહે છે કે ‘સર્વત્ર અન્ત શબ્દ અવયવવાચી જ હોય છે, પરંતુ ‘મર્યાવાં ક્ષેત્રમ્’ જેવા સ્થળે તે મુખ્યપણે અવયવ અર્થને જણાવે છે, જ્યારે ‘નદ્યન્ત ક્ષેત્રમ્’ જેવા સ્થળે સામીપ્ય આદિ અર્થને લઇને તેમાં અવયવ અર્થનો ઉપચાર કરવામાં આવે છે.’ આમ આ બધા અભિપ્રાયોને લઇને ભાષ્યની “સર્વત્રેવાડન્તશબ્દઃ ‘સજ્જ તેન વર્તતે' કૃતિ” વાત છે. પ્રસ્તુતમાં ઓવન્તાઃ સ્થળે અન્ત શબ્દની અવયવવાચિતાને લઇને ઓ ને સ્વરસમુદાયમાં સમાવવો શક્ય છે, તેથી સૂત્ર ‘ઓપર્યન્તાઃ સ્વરૉઃ' આવું બનાવવાની જરૂર નથી. (2) શંકા :- અહીં તઃ અન્તાઃ = ઞૌવન્તાઃ આમ તત્પુરુષ સમાસ કરવો જોઇએ. કેમકે બહુવ્રીહિ સમાસ કરતા તત્પુરુષ સમાસ અલ્પનિમિત્તક હોવાથી અંતરંગ ગણાય. તેથી ‘અન્તર, નહિ ત્’ન્યાયાનુસાર તે બળવાન બને. સમાધાન :- અહીં અ વિગેરે સ્વરોને સ્વરસંશા કરવાની છે. તેથી ‘ઓવન્તાઃ ’ સ્થળે બહુવ્રીહિ સમાસ કરી ઍ વિગેરે સ્વરોને અન્યપદાર્થરૂપે ગણાવવા જરૂરી છે. સ્ત્રોતઃ અન્તાઃ એમ વિગ્રહ કરી તત્પુરુષ સમાસ કરવામાં આવે તો સ્વરસંજ્ઞા અે પછીના ક્રમે આવતા અનુસ્વાર અને વિસર્ગને પ્રાપ્ત થાય. તેથી જો કેવળ અનુસ્વારવિસર્ગને સ્વરસંશા કરવી ઇષ્ટ હોત તો પ્રસ્તુત સૂત્ર ન બનાવતા ‘વિર્ત્યજ્ઞનમ્ ૨.૨.૦' સૂત્ર પછીના ક્રમે અનુસ્વાર આદિને સ્વરસંશાનું વિધાન કરતું ‘અનુસ્વારાS: સ્વરૉઃ ' આવું સૂત્ર બનાવત. પણ તેમ નથી કર્યું, એ જ બતાવે છે કે પ્રસ્તુત સૂત્રમાં ‘ઓવન્તાઃ’સ્થળે ઞ વિગેરેને સ્વરસંશા કરવા બહુવ્રીહિસમાસ કરવો ઇષ્ટ છે. (3) સૂત્રમાં શ્વેત્ સ્થળે જે ત્ અનુબંધ દર્શાવ્યો છે તે ઉચ્ચારણ માટે છે. જો તે ન મૂકવામાં આવે તો ઓ ઉચ્ચારણ શક્ય ન બને. કેમકે પાછળ રહેલા અન્ત શબ્દના ઝૂ સ્વરના કારણે આવન્તાઃ આવું વિકૃત સ્વરૂપ થઇ જાય. તેથી સંદેહ વિગેરે પેદા થાય કે ‘શું ઔ સુધીનાં વર્ગોને સ્વરસંશા કરવી છે કે આવ્ સુધીના વર્ગોને ?’
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy