SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧.૨ ૨૧ શંકા - બીજા શબ્દથી વાચ્ય બનતા અર્થનું જ ઘોતન થઇ શકે. બીજો શબ્દ વાચક ન બનતો હોય છતાં અર્થ જણાતો હોય તો વિવક્ષિત શબ્દ તે અર્થનો વાચક ગણાય, ઘોતક નહીં. સમાધાન - તો અમે ચાર્ ને પ્રધાનપણે અનેકાંતનો દ્યોતક માનશું. શંકા - એવું માનવું પણ નકામું છે, કેમકે ચાસ્ત પર્વ વિગેરે સ્થળે અસ્તિત્વાદિ ધર્મ તો સાક્ષાત્ (સ્પષ્ટપણે) મસ્તિ વિગેરે શબ્દથી જણાઈ આવે છે, માટે તેમનું ઘોતન કરવાનું રહેતું નથી અને નાસ્તિત્વાદિ ધર્મો ઉકત (વાચ્ય) ન થતા હોવાથી તેમનું ઘોતન કરવાનું રહેતું નથી. કેમકે કોઇપણ શબ્દથી વાચ્ય ન થતા અર્થનું ઘોતન ન થઇ શકે. સમાધાન - ચીતિ વ ૮: સ્થળે તિ પદ દ્વારા ઘટગત અસ્તિત્વ ધર્મ પ્રધાનપણે વાચ્ય બનશે અને અનિપાત દ્વારા નાસ્તિત્વાદિ ધર્મો ગૌણપણે ઘોતિત થશે. આમ પ્રધાન-ગૌણભાવે અનેકાંતનું ઘોતન થઈ જશે. તથા વ કાર અન્યયોગવ્યવચ્છેદક રૂપે સિદ્ધ થશે. શંકા - તમારી વાત બરાબર નથી. કેમકે મતિ પદથી વાચ્ય ન બનતા નાસ્તિત્વ વિગેરે ધર્મો (પદાર્થો) જો ચાર્ અવ્યયથી ઘોતિત થશે તો દુનિયાના બાકી બધા પદાર્થો (અસ્તિત્વ સિવાયના) પણ ઘોતિત થવાનો પ્રસંગ આવશે. સમાધાનઃ- તેમ નહીંથાય. કેમકે ચાસ્તિત્વ ધટ: સ્થળે જે અન્યયોગવ્યવચ્છેદાર્થક વિકાર છે તેના દ્વારા અવ્યયથીઘોતન થવાની બાબતમાં નાસ્તિત્ત્વ વિગેરે આવશ્યક ધર્મો સિવાયના બાકીના બધા પદાર્થોનો વ્યવચ્છેદ થશે. માટે દુનિયાના બધા પદાર્થો ચાલ્અવ્યયથી ઘોતિત થવાની આપત્તિ નહીં આવે. શંકા - જો વ કાર દ્વારા બીજા બધા પદાર્થોનો વ્યવચ્છેદ થશે તો ભેગો નાસ્તિત્ત્વાદિ ધર્મોનો પણ વ્યવચ્છેદ થવાનો પ્રસંગ આવશે. કેમકે ઇવકાર દ્વારા બીજા પદાર્થોનો વ્યવચ્છેદ થાય અને નાસ્તિત્વાદિ ધર્મોનો વ્યવચ્છેદ ન થાય તેની પાછળ એવી કોઈ યુકિત નથી. આમ નાસ્તિત્ત્વાદિ ધર્મોનું ઘોતન ન થઈ શકવાથી રાત્ અવ્યય દ્વારા અનેકાંતનું ઘોતન નહીં થઈ શકે. સમાધાન - હવે તમે અમારો નિષ્ફટ જવાબ સાંભળો. ચાતિ વ ઘટ:' સ્થળે ગતિ પદ દ્વારા પ્રધાનપણે અસ્તિત્વ ધર્મ વાચ્ય બનશે અને ગૌણપણે નાસ્તિત્ત્વાદિ ધર્મ વાચ્ય બનશે. ચા અવ્યય પણ અતિ પદથી વાચ્ય બનતા અસ્તિત્વને પ્રધાનપણે ઘોતિત કરશે અને નાસ્તિત્ત્વાદિ ધર્મોને ગૌણપણે ઘોતિત કરશે. કેમકે ‘નેવ રૂપેળ વાવ પરમમિત્તે તેનેa mળ નિપાત દ્યોતતિ નિયમ મુજબ પતિપદથી પ્રધાન-ગૌણપણે વાચ્ય બનતા અસ્તિત્વ અને નાસ્તિત્ત્વાદિ ધર્મોનું ચા અવ્યય દ્વારા ક્રમશઃ પ્રધાન-ગૌણપણે ઘોતન થઈ શકે છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy