SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૨.૪૦ ૩૩૩ સમાધાન – એવું નથી. સંજ્ઞાપક્ષે 'સંધ્યા' આવો પૃથક્યોગ (અલગ સૂત્રો સમજવો કે જેનાથી સંખ્યા આવી સંજ્ઞા થાય. સંજ્ઞા સંજ્ઞીને સાકાંક્ષ (સાપેક્ષ) હોવાથી સંખ્યા આવી મહાસંજ્ઞા કરવાથી પ્રાપ્ત થતા ગણતરી કરવા રૂપ અન્વર્થ (વ્યુત્પત્યર્થ) ના વાચક નિયત અને અનિયત સંખ્યાવાચી બધા જ શબ્દોનો આક્ષેપ થવાથી વિગેરે તથા હું આદિ શબ્દોને ‘સંખ્યા” સંજ્ઞા સિદ્ધ થઇ શકે છે. પછી પાછળથી “વહુ-નમ્' આવો એક યોગ (સૂત્ર) બનવાથી અહીં પૂર્વના યોગથી ‘સક્ય' પદ અનુવર્તતા વહુ અને Tળ શબ્દો સંખ્યાસંજ્ઞક થાય છે. આવો અર્થ પ્રાપ્ત થાય. હવે આ સંખ્યા સંજ્ઞા વહુ આદિ શબ્દોને પૂર્વના સટ્ટા' આવા પૃથક્યોગથી જ સિદ્ધ હતી, છતાં તેમને ફરી આ બીજા યોગથી સંખ્યા સંજ્ઞાનું વિધાન એવો અર્થ પ્રાપ્ત કરાવી આપે છે કે “અર્થાન્તરના વાચક હોવાની સાથે વદુત્વ અર્થનાવાચક શબ્દોને જો સંખ્યાકાર્ય થાય તો તે ફક્ત વહુ અને જળ શબ્દોને જ થશે” તેથી વિપુલતા” આદિ અર્થાન્તરના વાચક મૂરિ આદિ શબ્દોને સંખ્યા સંજ્ઞા નહીં થાય. અથવા તો આવો નિયમાત્મક અર્થ પણ પ્રાપ્ત થઈ શકે કે “અનિયત સંખ્યાના વાચક શબ્દોને જો સંખ્યા સંજ્ઞા થાય તો ફક્ત વહુ અને જળ શબ્દોને જ થાય”. મનન્ત શબ્દની જેમ અનંત અર્થના વાચક શત શબ્દને સંખ્યાકાર્યનો અભાવ ઇષ્ટ જ છે. બીજા વૈયાકરણો એમ કહે છે કે વધુ અને જળ શબ્દોના પરસ્પર સાહચર્યથી સંખ્યાની અપેક્ષાએ વ્યાપક એવા અર્થના વાચક એવા જ વહુ અને Tળ શબ્દોનું ગ્રહણ થશે, ‘સંધ’ અને ‘વિપુલતા અર્થના વાચક વહુ અને જળ શબ્દોનું નહીં. આથી અન્વર્થસંજ્ઞા વ્યર્થ છે. મહાસંજ્ઞા કરવા દ્વારા તે તે સૂત્રસ્થળે લોકપ્રસિદ્ધ કેવળ વ્યુત્પત્યર્થનું પણ ગ્રહણ થશે. તેથી નિયત વિષયના (નિશ્ચિત અંતવાળી સંખ્યાના) બોધમાં હેતુભૂત ગણતરીમાં પ્રકૃષ્ટ ઉપયોગી પુત્વ આદિને જણાવતા આદિ શબ્દોને સંખ્યાકાર્ય સિદ્ધ થશે. અહીંનિયત વિષયના બોધની હેતુતા આ પ્રકારે સમજવી. વિવક્ષિત જે ધર્મ પ્રકારક નિશ્ચય થયા પછી લોકમાં ગણતરીમાં પ્રસિદ્ધ જે તે વિવક્ષિત ધર્મથી અતિરિક્ત બાકીના સઘળાય ધર્મો, તે સઘળાય ધર્મો પૈકી કોઇપણ ધર્મને લઈને સંશય ઉત્પન્ન ન થાય તો વિવક્ષિત તે ધમવિચ્છિન્ન (ધર્મથી યુક્ત) એવી સંખ્યાને વાચત્વ, તે અહીં નિયત વિષયના બોધની હેતુતા સમજવી. જેમકે – ત્રયો ધટ: 'આમ કહેવાતા ત્રિત્વાભાવ અપ્રકારક (ત્રિત્વનો અભાવ જેમાં વિશેષણરૂપે નથી ભાસતો) અને ત્રિ–પ્રકારક નિશ્ચય (જ્ઞાન) ના પ્રતિબંધકરૂપત્વ, દિવ, તુષ્ટત્વ આદિ કોઇપણ ધર્મપ્રકારક સંશયો) ઉત્પન્ન થવાને સમર્થ બનતા નથી. આથી (A) ત્રયો પદ સ્થળે ત્રિ શબ્દ મૂકવાથી ત્રણ જ ઘડા છે' એવો બોધ થાય છે. ત્રણ કે ચાર ઘડા' એવો સંશયાત્મક બોધ થતો નથી. સંશય હંમેશા ભાવ-અભાવ ઉભા કોટીવાળો હોય. જો ત્રણ કે ચાર ઘડા' આવો બોધ થાત તો તેમાં વતુષ્ટત્વ પણ જ્ઞાનનો વિષય બનત. વતુષ્ટ એ ત્રિર્વસ્વરૂપ ન હોવાથી આ સંશયમાં ત્રિ–ામવવિષય બનત. હવે નિયમ છે કે ભૂતકાળુદ્ધિ તિ તમાવવત્તાનુદ્ધિઃ પ્રતિચિવા ઘટમાં ત્રિર્વવત્તા નો નિશ્ચય કરવામાં ત્યાં થતું ત્રિત્વપાવવા નું જ્ઞાન પ્રતિબંધક બનત. જેથી ત્રણ જ ઘડા' આવો નિશ્ચયન થઇ શકત. પરંતુ ત્રિ શબ્દના કારણે તુષ્ટત્વ આદિ ધર્મો જ્ઞાનમાંન ભાસવાથી ઘટમાં ત્રિત્વમાવવત્તા ની બુદ્ધિ ન થવાથી અર્થાત્ ત્રિત્વમાવ ઘટમાં પ્રકાર રૂપેન ભાસવાથી નિશ્ચય થઇ શકે છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy