SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦. શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નમ્ નો આશ્રય કરીએ તો સર્વને વર્તમાનાશાહથોડવ્ય સંજ્ઞા ન મવત્તિ' એવો સૂત્રાર્થ થશે. કારણકે પ્રસજ્યપ્રતિષેધ એ પ્રતિષેધપ્રધાન છે. પર્હદાસ નગ્નની વિવક્ષા કરીએ તો વિપ્ર શબ્દને અવ્યય માનવાની આપત્તિ આવશે. તે આ રીતે – વિઝ શબ્દ વિમાનીતિ વિપ્રઃ આમ ‘ઉપસાતો. ૫..’ સૂત્રથી વિ ઉપસર્ગપૂર્વકની પ્રા ધાતુને ૩ પ્રત્યય લાગી નિષ્પન્ન થયો છે. તેનો અર્થ ‘શ્રૌતકર્મને કરનાર” આવો થાય. જેમાં શ્રૌતકર્મની ક્રિયા ગૌણપણે જણાય છે અને તે ક્રિયાનો કરનાર બ્રાહ્મણવ્યકિત (= દ્રવ્ય) મુખ્યપણે જણાય છે. આમ વિપ્ર શબ્દ ક્રિયા છે ગૌણ જેમાં એવો દ્રવ્યવાચક શબ્દ થયો. કેવળ દ્રવ્ય (= સત્ત્વ) કરતા ક્રિયા-દ્રવ્યનો સમુદાય અલગ વસ્તુ ગણાય. તેથી પથુદાસ નગ્ન પ્રમાણે વિપ્ર શબ્દ દ્રવ્ય (સત્ત્વ) અર્થમાં નહીં, પરંતુ ક્રિયા-દ્રવ્યસમુદાય અર્થમાં વર્તતો હોવાથી અસત્ત્વવાચી એવા તેને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે. શંકા - આ સૂત્રથી વાદિગણના શબ્દોને અવ્યયસંજ્ઞા કરવાની છે. વારિ ગણમાં વિણ આવો કોઈ શબ્દ નથી. તો શી રીતે તેને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ આવે? સમાધાન - વિપ્ર શબ્દમાં જે અંશ છે તે વાવિ ગણપાઠમાં બતાવ્યો છે. તેથી તેને લઇને અહીંઅવ્યય સંજ્ઞા થશે એમ સમજવું. અહીં એવી પણ શંકા થશે કે “દ્ધિ ગણમાં ફકત પ્રશબ્દ બતાવ્યો છે, વિઝનહીં. તો કેમ અવ્યયસંજ્ઞા થાય?' પરંતુ જેમ 'વર વયોવ્યયમ્ ૨.૨.૨૦' સૂત્રમાં સ્વારિ શબ્દ આવ્યય શબ્દનું વિશેષણ બનવાથી વિશેષમન્ત: ૭.૪.૨૩' પરિભાષા મુજબ ત્યાં પરમોર્વે વિગેરે સ્થળે પ્રધાનપણે વર્તતા સ્વરાન્તિ શબ્દને અવ્યયસંજ્ઞા થાય છે, તેમ પ્રસ્તુત સૂત્રમાં પણ વાહિશબ્દ યશબ્દનું વિશેષણ બનવાથી વિશેષ મન્ત: ૭.૪.૨૨૩' પરિભાષા મુજબ પ્રધાન વાદ્યન્ત શબ્દોને પણ અવ્યયસંજ્ઞા થઇ શકે છે. આથી , અંતવાળા વિઝ શબ્દને પણ અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે. આમ વિપ્ર શબ્દ વિભક્તિવિહોણો સાંભળવાનો પ્રસંગ આવશે. કેમકે અવ્યયની વિભક્તિનો લોપ થઈ જાય છે. અથવા વરિ ગણમાં બતાવેલો | શબ્દ જ્યારે જાતિવિશિષ્ટ દ્રવ્યનો વાચક હોય ત્યારે તેને અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે. જેમકે ‘યં પશુ: સ્થળે પશુ શબ્દ પશુત્વજાતિથી વિશિષ્ટ પશુદ્રવ્યમાં વર્તે છે. તેથી તે જાતિ-દ્રવ્યસમુદાયાત્મક અર્થનો વાચી હોવાથી કેવલ દ્રવ્યનો વાચી નથી. આમ પશુ એ પર્હદાસ નગ્ન પ્રમાણે ‘સર્વા (દ્રવ્ય) અન્યત્ર વર્તમાનઃ' શબ્દ છે. વળી તે વારિ પણ છે, તેથી તેને અવ્યયસંજ્ઞા થવાથી અવ્યયક્ષ્ય રૂ.૨.૭' સૂત્રથી તેની વિભકિતનો લોપ થતા વિભક્તિના અશ્રવણનો પ્રસંગ આવશે. અહીં જો પ્રસજ્ય પ્રતિષેધનો આશ્રય કરીએ તો આ દોષનહીં આવે અને દોષ ન આવે તેમ કરવું જોઈએ. જો સત્ત્વ (દ્રવ્ય) ની ગંધ પણ હશે ત્યાં સર્વત્ર પ્રસજ્ય પ્રતિષેધ નગ્ન અવ્યયસંજ્ઞાનો પ્રતિષેધ કરી દેશે. કેમકે તે ‘સત્ત્વવાચી વદિ અવ્યયસંશક થતા નથી” આમ નિષેધપ્રધાન છે. પશુ અને વિપ્ર શબ્દ પશુત્વ અને વિપ્રત્વ જાતિથી
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy