SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ હિનોતિ = ચ્છિત સ્વમુળરાયતામ્ = હેમ:' અને વન્દ્રત = માહ્યાવત = ચન્દ્રઃ' આ વ્યુત્પત્તિ મુજબ જે પોતાના ગુણો વડે આદેયતાને પામે તેને હેમ' કહેવાય. હેમ એટલે સુવર્ણ અને જે સૌને આલાદ પમાડે તેને ચંદ્ર કહેવાય. આ ગ્રંથના રચયિતા આચાર્ય સુવર્ણની જેમ પોતાના ગુણો વડે આદેયતાને પામેલા હોવાથી તથા ચંદ્ર જેવા આલાદક હોવાથી તેમનું નામ ગુરુ દ્વારા રેન્દ્ર રાખવામાં આવ્યું છે. પ્રેમ અને વન્દ્ર શબ્દનો ‘મયૂરધ્વંસત્યાદા: રૂ.૨.૨૩૬' સૂત્રથી કર્મધારય સમાસ થઈ દેવન્દ્ર શબ્દ બન્યો છે. જ મૃત્વ – આના દ્વારા આચાર્ય ભગવંત એવું સૂચવે છે કે અહીં જે પણ કથન કરાશે, તે પૂર્વાચાર્યોના કથનના સ્મરણપૂર્વક હશે. આના દ્વારા પોતે પૂર્વાચાર્યોને પરતંત્ર હોવાનું જણાવે છે. જ શિશિન્ – આ ક્રિયાવિશેષણ છે. સર્વજ્ઞ થયા પૂર્વે સર્વવસ્તુનો પ્રકાશ કરવો અસંભવિત હોવાથી અહીં વિશ્વ પ્રાયતે' એમ કહે છે. અથવા સ્મરણમાં તો ઘણું જ આવ્યું છે, છતાં તેમાંથી જે રીતે લાભ થાય એ રીતે કેટલુંક શબ્દાનુશાસન કહેવાય છે. વિચિત્ શબ્દ વિપિ વિનોતીતિ વિવ| = વિસ આ રીતે વિકને વિત્ લાગીને બન્યો છે, અથવા તે એક અખંડ અવ્યય છે. આ રીતે પ્રાપ્ય પરમાત્માન..'આ શ્લોકના દરેકે દરેક પદનો અર્થકરીહવે આખા શ્લોકનો અન્વયાર્થ કરી બતાવે છે. અન્વયાર્થ:- અમ્મલિત એવા જ્ઞાનાતિશયથી શોભતા દેવતાવિશેષને પ્રણામ કરીને સકલ જનના ઉપકારની ભાવનાથી સમ્યક્ (નિર્દોષ) એવું આ વ્યાકરણશાસ્ત્ર રચાતું હોવાથી તથા સર્વજ્ઞ થયા પૂર્વે સર્વવસ્તુનો પ્રકાશ કરવો અસંભવિત હોવાથી આચાર્ય હેમચંદ્ર દ્વારા તે કાંઈક પ્રકાશિત કરાય છે. શબ્દાનુશાસન એ વ્યાકરણનું અન્વર્થ (વ્યુત્પત્યર્થ ઘટી શકે એવું નામ છે. તેથી અહીંશબ્દોનું અનુશાસન બતાવાશે, અર્થોનું નહીં. કેમકે અહીં આટલો જ અર્થ વિવક્ષિત છે. શબ્દાનુશાસનના શબ્દાનામ્ અનુરાસન વિગ્રહસ્થળે પ્રયોજન ન હોવાથી અનુશાસન શબ્દ સાથે અન્વય પામતું કર્તૃવાચક નાવાર્યે પદ નથી મૂકયું. તેથી અનુશાસન કૃદન્ત શાના આ પ્રમાણે કર્મની ષષ્ઠીમાં હેતુ ભલે બને, પરંતુ તે કર્તા અને કર્મ ઉભયના વાચક ક્રમશઃ બાવા અને શબ્દ ની ષષ્ઠીમાં હેતુ બને એવું કૃદન્ત ન હોવાથી વાળ પદને દ્વિતોરટ્યસ્થ વા ૨.૨.૮૭' સૂત્રથી પ્રાપ્ત કૃદન્ત નિમિત્તક ષષ્ટીના વિકલ્પમાં તૃતીયા થઈ છે એવું નથી. તેથી તૃતીયાયામ્ રૂ.૨.૮૪ સૂત્રથી શીનામ્ અનુશાસનમ્ = શબ્દાનુશાસનમ્ આ ષષ્ઠીતપુઆ સમાસનો પ્રતિષેધ નહીં થાય અને જેમ રૂખનાં દ્રશન: = રૂબત્રન: આ ષષ્ઠીતન્દુ સમાસ થઇ શકે છે, તેમ અહીં પણ થશે. (રૂમ્બદ્રશ: સમાસ અંગે રૂ.૨.૭૭' તથા રૂ.૨.૮૬' સૂત્રની બૂવૃત્તિ અને વૃન્યાસમાંથી જાણી લેવું.) અહીં કર્તાવાચક વાર્થહેમાન પદનો પ્રવાતે ક્રિયાપદ સાથે સંબંધ છે. (આ વાતની ચર્ચા પૂર્વે શબ્દાનુશાસનમ્ પદની વિશેષતા બતાવી છે ત્યાં પણ જોવી.)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy