SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૬.૨.૨૫ ૧૫૭ તે વૃત્તિ ત્રણ^) પ્રકારની છે. (૧) સમાસ વૃત્તિ. જેમકે રાજ્ઞઃ પુરુષઃ = રાનપુરુષઃ (૨) તદ્ધિતાન્ત વૃત્તિ. જેમકે ૩પોરપત્યમ્ = ઓપળવઃ અને (૩) નામધાતુવૃત્તિ. જેમકે પુમિતીતિ પુત્રાતિ । (2) પરાર્થ અભિધાનને વૃત્તિ કહેવાય. લધુન્યાસમાં બતાવ્યા પ્રમાણે પરાર્થ શબ્દના ત્રણ રીતે અર્થ થઇ શકે છે. (a) સમાસના ઘટક પદરૂપ અવયવો કે તદ્ધિતાંત વિગેરે શબ્દોના ઘટક એવા પ્રકૃતિ-પ્રત્યય રૂપ અવયવોના અર્થની અપેક્ષાએ તે અવયવોના બનેલા સામાસિક શબ્દ કે તદ્ધિતાંત વિગેરે શબ્દ રૂપ સમુદાયનો અર્થ પરાર્થ કહેવાય. (b) ઉપરોક્ત અવયવોની અપેક્ષાએ પર (ભિન્ન જુદો) અર્થ ઉપર કહ્યા પ્રમાણેનો સમુદાયનો અર્થ છે, તેથી તે પરાર્થ કહેવાય. સમાસ કે તદ્ધિતાંત આદિ શબ્દરૂપ સમુદાયના અવયવોની અપેક્ષાએ તેમનો (સમુદાયનો) અર્થ અહીં પર રૂપે વિવક્ષ્યો છે. આમ પણ શબ્દથી અર્થ પર જ રહેવાનો. (c) અથવા પોતાના અવયવ પદની અપેક્ષાએ (‘પરમવિવ્ વિગેરે) સામાસિક શબ્દ કે તદ્ધિતાંત આદિ શબ્દરૂપ સમુદાય પર કહેવાય અને તેનો અર્થ તે પરાર્થ. આમ ત્રણ રીતે પાર્થ શબ્દનો અર્થ કર્યો છે. જેમાં પહેલામાં અવયવોના અર્થથી સમુદાયના અર્થને પર એવા અર્થરૂપે ગણાવ્યો. બીજામાં અવયવથી સમુદાયના અર્થને પર એવા અર્થરૂપે ગણાવ્યો અને ત્રીજામાં અવયવોથી સમુદાયને પરરૂપે ગણાવી તેના અર્થને પરાર્થરૂપે કહ્યો છે. ત્રણે રીત મુજબ છેલ્લે પરાર્થરૂપે તો સમુદાયનો અર્થ જ આવીને ઊભો રહે છે. (A) અહીંવૃત્તિના ૩ પ્રકાર બતાવ્યા છે, પરંતુ ચોથી મૃત્ વૃત્તિ પણ છે, જેમકે- માં વોતીતિ જુમ્માર:. બૃહવૃત્તિકારે આ ચોથો પ્રકાર ‘સમર્થઃ પવિધિઃ ૭.૪.૧૨૨' ની વૃત્તિમાં ‘સમાસ-નામધાતુ-નૃત્-દ્ધિતેવુ વાવયે વ્યવેક્ષા, વૃત્તાવેજાર્થીમાવ:, શેતેવું પુનર્વ્યવેક્ષેવ સામર્થ્યમ્' એવું કહેવા દ્વારા સૂચવેલો હોવાથી તેઓને કૃત્ પણ અલગ વૃત્તિ રૂપે માન્ય છે. છતાં તેનો (મ્મારઃ ઇત્યાદિ ત્ વૃત્તિનો) ‘ઽસ્યુત્ત ધૃતા રૂ.૨.૪૬' થી સમાસ થતો હોવાથી સમાસ વૃત્તિમાં જ અંતર્ભાવ થઇ જતો હોવાથી અહીં ત્રણ પ્રકાર બતાવ્યા છે. કેટલાક લોકો પાંચમી એકશેષ વૃત્તિ પણ માને છે. કારણ કે શેષ રહેલા એક શબ્દ દ્વારા લુપ્ત એવા શબ્દોના અર્થનું પણ અભિધાન થતું હોવાથી તે પરાર્માભિધાયી છે (યઃ શિષ્યતે હૈં સુપ્યમાનામિયાથી તિ ન્યાયામ્), તેથી એકશેષ પણ વૃત્તિ છે. જેમકે ઘટશ્ચ ઘટશ ઘટથ ઘટાઃ. બૃહવૃત્તિકારને એકશેષ પણ વૃત્તિરૂપે માન્ય છે તેવું માની શકાય, કારણ ‘સમાનાનામથૅ૦ રૂ.૨.૧૮' ની બૃહવૃત્તિમાં ‘દ્વન્દ્વાપવાનો યોઃ ' એમ કહ્યું છે. આથી ધન્ધુસમાસ ઉત્સર્ગ થયો ને એકશેષ અપવાદ. ઉત્સર્ગ અને અપવાદની સમાનવિષયતા હોય છે એ સર્વવિદિત છે. તેથી બાધ્ય એવો ઉત્સર્ગ જો વૃત્તિ છે, તો બાધક એવો એકશેષ પણ વૃત્તિ ગણાશે. શ્રી ભટ્ટોજી દીક્ષિતે ‘ત્-સદ્ધિત-સમાસેોષ-સનાદ્યન્તધાતુરુષા: પ≠ વૃત્તવ:'(કૃત્, તદ્ધિત, સમાસ, એકશેષ અને સનાદ્યન્ત) એમ પાંચ પ્રકારે વૃત્તિ કહી છે. ત્યાં નામધાતુ વૃત્તિનો સનાઘન્ત વૃત્તિમાં તેમણે સમાવેશ કર્યો છે. આમ પણ સનાઘન્ત વૃત્તિમાં નામધાતુવૃત્તિનો સંગ્રહ થઇ જાય. નામધાતુવૃત્તિના ગ્રહણથી સનાઘન્તવૃત્તિનો સંગ્રહ ન થાય માટે સનાદ્યન્તવૃત્તિનો જ વૃત્તિરૂપે ઉલ્લેખ કરવો ઉચિત છે. શંકા ઃ – તો જેઓએ ‘નામધાતુવૃત્તિ' નો વૃત્તિરૂપે ઉલ્લેખ કર્યો છે, તેઓ સનાઘન્તવૃત્તિનું ગ્રહણ શી રીતે કરશે ? સમાધાન ઃ- નામધાતુવૃત્તિના ઉપલક્ષણથી તેનું ગ્રહણ થઇ શકશે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy