SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - તેનો અવયવ મ વિવૃતતર) આસ્વપ્રયત્નવાળો છે. જ્યારે બીજા વિવૃત આપ્રયત્નવાળા છે. આમ આસપ્રયત્નની તુલ્યતાન જળવાતી હોવાથી તે-કો અને મવર્ણ વચ્ચે સ્વત્વની આપત્તિ નહીં આવે. શંકા - અને મો ના અવયવ = વિવૃતતર હોવાથી તેમના આસપ્રયત્ન તુલ્ય છે. તેમ જ તથા તેના અવયવ અતિવિવૃતતર હોવાથી તેમના આસ્વપ્રયત્ન પણ તુલ્ય છે. તેથી તેઓ વચ્ચે તો સ્વત્વ પ્રાપ્ત થશે ને? સમાધાનઃ-ના, નહીંથાય. કેમકે સ્થાનની તુલ્યતા જળવાતી નથી. -વેના અવયવ નું સ્થાન તાલુ છે, જ્યારે મો-ગૌ ના અવયવ નું સ્થાન ઓક છે. શંકા - બાહ્યપ્રયત્નની નિવૃત્તિ માટે સૂત્રમાં પ્રયત્ન શબ્દને માસ્ય વિશેષણ જોડવાની જરૂર નથી. કેમકે પ્રયત્ન શબ્દ સ્થળે ઉપસર્ગ ‘આરંભ અર્થમાં વર્તે છે. તેથી સૂત્રનો અર્થ આવો પ્રાપ્ત થશે. જેમના સ્થાન અને આરંભિક યત્નતુલ્ય હોય તેમની સ્વસંજ્ઞા થાય છે. કોઇપણ વર્ણના ઉચ્ચારણમાં સ્પષ્ટતાદિયત્નો આરંભમાં થાય છે. જ્યારે બાહ્ય પ્રયત્નો વર્ગનું ઉચ્ચારણ થયા બાદ પ્રાણ નામનો વાયુ મસ્તકને વિશે અથડાઇને પાછો ફરે છતે થતા હોય છે. તેથી બાહ્ય પ્રયત્નો આરંભિક યત્નરૂપન હોવાથી સૂત્રવર્તી પ્રયત્નશબ્દથી જ તેમની નિવૃત્તિ થઇ શકે છે. સમાધાન - જો આરંભિક યત્નની તુલ્યતાને સ્વસંજ્ઞામાં નિયામક માનશું તો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતા સ્વર વચ્ચે સ્વસત્તા પ્રાપ્ત નહીં થઇ શકે , કેમકે તેમનો વિવૃત નામનો આરંભિક યત્ન ભિન્ન છે). ઉદાત્તમ ના ઉચ્ચારણમાં તેની ક્રિયાને સદશ વિવૃત નામનો આરંભિક યત્ન હોય છે. અનુદાત્ત અને સ્વરિતના ઉચ્ચારણમાં તેનાથી વિલક્ષણ વિવૃતનામનો આરંભિક યત્ન હોય છે. આથી સૂત્રવર્તીપ્રયત્ન શબ્દથી બાહ્યપ્રયત્નોને નિષેધવા સૂત્રમાં માર્યા શબ્દને તેના વિશેષણરૂપે બતાવવો જરૂરી છે. વળી પ્રયત્ન શબ્દ પ્રયતન પ્રયત્ન' આમ ભાવસાધન અર્થમાં લેશું. જેથી માસ્યપ્રયત્ન શબ્દનો અર્થ ‘આસ્થમાં થતો પ્રારંભિકયત્ન ન થતા સામાન્યથી ફક્ત આચમાં થતો યત્ન' આવો થશે. જેથી ઉદાત્તાદિ ૩ વિગેરે સ્વરો ભિન્ન પ્રારંભવાળા હોવા છતાં તેમને પરસ્પર સ્વસંજ્ઞા સિદ્ધ થઇ શકશે. જો પ્રયત્ન શબ્દ “પ્રારંભિક યત્ન' આવા વિશેષાર્થમાં લેવાત તો ઉદારાદિનો આસમાં થતો પ્રારંભિક વિવૃત પ્રયત્ન તુલ્ય ન હોવાથી તેમને પરસ્પર સ્વસંજ્ઞા થવામાં વાંધો આવત. પરંતુ પ્રસ્તુતમાં પ્રયત્ન શબ્દને સામાન્યથી પત્ન” અર્થમાં લીધો છે અને (A) યદ્યપિ વિવૃતતર આસપ્રયત્ન-ગોના છે, જ્યારે છે-ના અતિવિવૃતતર આસપ્રયત્ન છે. તેથી બુ. ન્યાસમાં ગતિવિવૃતતત્વત્તિયો. 'આમ કહેવું જોઇએ. છતાં V-શો અને આ વર્ણના સ્વત્વનું સમાધાના-મોને પ્રશ્લિષ્ટ વર્ણવાળા કહી કરી દીધું હોવાથી હવે ફક્ત - અને ૫ વર્ણ વચ્ચે સ્વત્વનું સમાધાન કરવાનું બાકી રહે છે. તેથી ગ વર્ણ વિવૃત છે અને છે- એ સવર્ણ કરતા અધિક વિવૃત છે. આમ આસ્વપ્રયત્નનો ભેદ બતાવવા પૂરતું જ છે ને બુ.ન્યાસમાં વિવૃતતર ગણાવ્યા છે. બાકીપ-ગોની તુલનામાં તેઓ અતિવિવૃતતર જ છે. (B) આમ ? વિગેરે સ્વરો અંગે પણ સમજવું. (C) વિવૃતાગડધ્યપ્રારમ્ભસ્થ પેરા સાવર્ષ-(= સ્વત્વ-)મા . (.. પ્રવીપપ્રારા: પ.પૂ. ...)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy