SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય દોષોની હાનિ થાય છે. ઉદારતા આદિ ગુણોની વૃદ્ધિ થાય છે. જનપ્રેમની પ્રાપ્તિ થાય છે, પરલોકમાં સદ્ગતિમાં જન્મ , ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૧૫) अत्रैव विशेषमाह વેદ્ધિવન ઉદ્દા/૭૪ના રૂતિ देवानां वैमानिकानाम् ऋद्धेः विभूतेः रूपादिलक्षणाया वर्णनं प्रकाशनम्, यथा "तत्रोत्तमा रूपसंपत् सत्स्थिति-प्रभाव-सुख-द्युति-लेश्यायोगः विशुद्धेन्द्रियावधित्वं प्रकृष्टानि भोगसाधनानि दिव्यो विमाननिवह" इत्यादि वक्ष्यमाणमेव ।।१६।। અહીં જ (= આચારપાલનથી થનારા ફળમાં જ) વિશેષ કહે છે - દેવોની વિભૂતિનું વર્ણન કરવું. વૈમાનિક દેવોની રૂપ વગેરે વિભૂતિનું વર્ણન કરવું. જેમકે- ત્યાં રૂપ સંપત્તિ પ્રકૃષ્ટ હોય, રૂપસંપત્તિ એટલે આકૃતિ, (સ્થિતિ) પલ્યોપમ અને સાગરોપમોનું મોટું આયુષ્ય હોય, (પ્રભાવ) નિગ્રહ કરવાનું અને અનુગ્રહ કરવાનું સુંદર સામર્થ્ય હોય, ચિત્તની સમાધિરૂપ ઉત્તમ સુખ હોય, શરીર અને આભૂષણની પ્રભા સુંદર હોય, તેજોવેશ્યા વગેરે લેશ્યાઓ શુભ હોય, ઈદ્રિયો અને અવધિજ્ઞાન નિર્મલ હોય, ભોગનાં સાધનો પ્રકૃષ્ટ હોય, દિવ્ય અનેક વિમાનો હોય. આ ઋદ્ધિનું વિશેષ વર્ણન સાતમા અધ્યાયના આઠમા સૂત્રમાં કરવામાં આવશે. (૧૬) તથી સુના મનોવિક્તઃ ઉપાછા રૂતિ . 'देवस्थानाच्च्युतावपि विशिष्टे देशे विशिष्टे काले निष्कलङ्के अन्वये उदग्रे सदाचारेणाख्यायिकापुरणयुक्ते अनेकमनोरथापूरकम् अत्यन्तनिरवयं जन्म' इत्यादिर्वक्ष्यमाणलक्षणैव ।।१७।। સુકુલમાં આગમનનું વર્ણન કરવું. દેવલોકમાંથી ચ્યવન થયા પછી પણ વિશિષ્ટ દેશમાં જન્મ થાય, વિશિષ્ટકુલમાં જન્મ થાય, અર્થાત્ પિતા, દાદા વગેરેની પરંપરાથી નિષ્કલંક હોય (= અસદાચાર રૂપ કાદવથી મલિન થયેલું ન હોય), (વર્તમાનમાં) સદાચારથી ઉત્કૃષ્ટ હોય, જેમાં પૂર્વપુરુષોએ અસાધારણ આચરણ ૭૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy